________________
Compodium of Jainism - Part (II)
સુષુપ્ત શક્તિ વિકસે. શ્રાવકે વ્રજકુમારને પોતાને ઘેર લઈ જવા પોતાની પત્નીને સોંપી આચાર્યની ઇચ્છા જણાવી. તે પણ ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી તેથી આચાર્યની આજ્ઞાને ખુશીથી સ્વીકારી. તેને બાળક એટલો બધો વહાલો હતો કે એને એકલો ક્યાં જવા ન દેતી. તે દરરોજ તેને ઉપાશ્રય સાધ્વીજીને વંદન કરવા લઈ જતી. તે ખૂબ જ નાનો હોવા છતાં સાધ્વીજી જે સૂત્રો બોલતા તે બધા તે યાદ રાખી લેતો. તે ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે ૧૧ અંગ આગમ શીખી લીધા. તે બહુ વિવેકી અને ચબરાક હતો.
એક દિવસ સુનંદાની સખી એના ઘરે આવી અને કહ્યું, “તારો જે દીકરો આખો દિવસ રડયા જ કરતો હતો તે તેના દિવસનો મોટા ભાગનો સમય અમારા ઉપાશ્રયમાં પસાર કરે છે. મેં એને ક્યારે રતો જોયો નથી. એ બહુ વાતો અને પ્રેમાળ છોકરો છે." શરૂઆતમાં તો સુનંદાએ સખીની વાત ને ગંભીરતાથી ન લીધી પણ અંતે તો એ વ્રજકુમારની મા હતી. તેને પણ દીકરાને ફરી જોવાની ઈચ્છા હતી, તે વિચારવા લાગી, “મેં વળી આવી ભયંકર ભૂલ કેમ કરી? મેં મારા વહાલા દીકરાને મુનિને કેમ આપી દીધો? ગમે તેમ પણ એ મારું બાળક છે. મારે તેને પાછો મેળવવો જોઈએ.”
થોડા દિવસ પછી આચાર્ય સિંહગીરી અને ધનગીરી ફરીથી તે નગરી માં આવ્યા. તે ઉપાશ્રય ગઈ અને ધનગીરીને મળી અને કહ્યું, “મહેરબાની કરી મને મારો દીકરો પાછો આપો. હું તેના વિના હવે રહી શકતી નથી.” મુની ધનગીરીએ કહ્યું, “મેં તમને એ જ સમયે કહ્યું હતું કે એકવાર આપ્યા પછી તમને એ પાછો નહિ મળે. યાદ કરો, તમે કહ્યું હતું કે મારે કોઈ સંજોગોમાં એ જોઈતો નથી. એકવાર અમે લીધેલું પાછું ન આપી શકીએ.”
સુનંદાએ કહ્યું, “મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું હતું? હું મારા દીકરા વિના નથી રહી શકતી તે મને પાછો મળે તેવો રસ્તો શોધો.”
આચાર્ય સિંહગીરી અને મુનિ ધનગીરીએ તેને સમજાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા પણ તે તો પુત્રને પાછો મેળવવા મક્કમ હતી. અંતે તે રાજા પાસે ગઈ અને વિનંતી કરી, “મહેરબાની કરીને મને મારો દીકરો પાછો મેળવવા મદદ કરો. મારા પતિ સાધુ થઈ ગયા છે અને હું એકલી જ છું. એ મારું એકનું એક સંતાન છે. તેમને કહો કે મારો દીકરો મને પાછો આપે.”
રાજાએ સુનંદા પાસેથી આખી વાત સાંભળી. તેણે કહ્યું, “શું બન્યું છે તે મને જાણવા દો. હું તમને થોડા સમયમાં જણાવીશ.” રાજાએ પરિસ્થિતિની તપાસ કરી તો જાણવા મળ્યું કે પોતાનો દીકરો સતત રડયા કરતો હતો તેથી સુનંદાએ પોતાની ઇચ્છાથી પોતાનું બાળક આપી દીધું હતું.
રાજાએ સુનંદાને બોલાવી અને કહયું, “સુનંદા, જ્યારે મુનિ ધનગીરી તારી પાસે ગોચરી માટે આવ્યા હતા ત્યારે તે તારી પોતાની ઇચ્છાથી જ બાળક આપી દીધું હતું કારણ કે તું તારા બાળકથી કંટાળી ગઈ હતી. એકવાર તમે આપી દીધેલી વસ્તુ પાછી ના મળે.”
Page 261 of 307