SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) એણે એની જાતને પુછ્યું, “ચોર માટે આ બધું શક્ય હોઈ શકે?” તેને યાદ આવ્યું કે તે ગરીબો અને જરૂરતમંદોને મદદ કરતો હતો તેથી તેને લાગ્યું કે ભગવાન બધું કરી રહ્યા છે. પછી એણે વિચાર્યું કે આ કદાચ અભયકુમારની કોઈ યોજના તો નહીં હોયને? ખરેખર સત્ય શું છે તે નક્કી કરવું તેના માટે અઘરૂં થઇ પડ્યું. થોડીવારમાં સુંદર વસ્ત્રોમાં સજ્જ માણસ એક હાથમાં પુસ્તક અને સોનાનો દંડ લઈને આવ્યો. અને તરુણીઓને પૂછ્યું, “તમારા નવા સ્વામી જાગ્યા કે નહીં?” તરુણીએ જવાબ આપ્યો, “તેઓ હમણાં જ ઉઠ્યા છે અને તેઓ સ્વર્ગમાં આવ્યા તેના માનમાં અમે દેવી ઉત્સવ કરવાના છે.” “એમના આગમન અંગે તમે જે તૈયારીઓ કરી છે તે બરાબર છે કે નહીં તે મને ચકાસી લેવા દો. તેમની પાસેથી સ્વર્ગના અધિકારીઓને જોઈતી માહિતી જાણી લેવા દો." આટલું કહીને તેઓ રોહિણેય પાસે આવ્યા. ચોપડી ખોલીને તેને સ્વર્ગની પરમ શાંતિ ભોગવવા પાછલી જીંદગીમાં કરેલા કાર્યો કહેવા કહ્યું. રોહિણેય ચારેબાજુ જોયા કરતો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તેનો પગ કાંટા ઉપર પડ્યો હતો ત્યારે મહાવીરસ્વામીના ઉપદેશમાં સ્વર્ગના દેવો કેવા હોય તેણે સાંભળ્યું હતું. અત્યારે તે વાતો તે સમજવા મથી રહ્યો હતો. એણે જોયું કે આ બધા તો જમીન પર જ ચાલે છે. તેમના શરીરનો પડછાયો પડે છે અને તેમની આંખો સામાન્ય માણસની જેમ પલકારા મારે છે. તે તરત જ સમજી ગયો કે આ સ્વર્ગ નથી પણ અભયકુમારે મારા ચોરીના પુરાવા ભેગા કરવા ભ્રમથી ઉભુ કરેલુ સ્વર્ગ છે. તેથી તેણે જવાબ આપ્યો કે પાછલી જિંદગીમાં મેં યોગ્ય કામ માટે પૈસાનું દાન કર્યું છે, મંદિરો બાંધ્યા છે, પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા કરી છે અને જરૂરિયાતવાળાને મદદ કરી છે. જે માણસ તેની વાતો નોંધ કરના હતા તેઓએ કહ્યું કે જે કોઈ ખોટું કામ કર્યું હોય તે પણ જણાવો. રોહિણી કહ્યું કે હું કાળજીપૂર્વક ખોટા કામથી દૂર રહેતો હતો. અને તેથી જ હું સ્વર્ગમાં જન્મયો છું. આમ અભચકુમારની તેને પકડવાની ચોજના સફળ ન થઈ. રોહિણેયને નિર્દોષ ખેડુત માનીને છોડી મૂકવામાં આવ્યો. રોહિણેય છૂટી તો ગયો પણ ખરેખર જે બન્યું તે અંગે તેને સતત વિચારો આવ્યા હતા. એને સમજાઈ ગયું કે આકસ્મિક રીતે સાંભળેલા મહાવીરસ્વામીના શબ્દોએ તેને બચાવી લીધો તો પછી પિતાએ આપેલી શિખામણમાં પિતા સાચા કેવી રીતે ઠરે? મહાવીર સ્વામી ખરેખર મહાન વ્યક્તિ છે. આકસ્મિક સાંભળેલા શબ્દો જો આટલી મદદ કરે તો વિચારો કે તેમનો ઉપદેશ શું કરે? મહાવીર સ્વામીનો ઉપદેશ ન સાંભળીને તેણે પોતાના વર્ષો વેડફી નાખ્યા છે. લાંબી લાંબી વિચારણાના અંતે તેણે નક્કી કર્યું કે મહાવીરસ્વામીના ચરણોમાં જ રહેવું. તે તેમની સભામાં પહોંચી ગયો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું.. સાધુ થવાની પોતાની ઈચ્છા જણાવી. Page 256 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy