________________
Compodium of Jainism – Part (II)
મહાવીરસ્વામીએ કહ્યું, “તું તારી સાચી ઓળખ જણાવ અને સંસાર છોડતા પહેલા રાજા પાસે જઈને ભૂતકાળમાં કરેલા પાપની કબુલાત કર.”
પોતાની સાચી ઓળખ સભામાં હાજર રહેલા રાજાને આપી યોગ્ય શિક્ષા કરવા કહ્યું. તેણે અભયકુમારને વિનંતી કરી કે ચોરી દરમ્યાન પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ તેઓ સ્વીકારી લે.
રોહિણેય પોતાની બધી ચોરી કબૂલ કરી છે અને જે કંઈ મેળવ્યું છે તે પાછું આપવા પણ તૈયાર છે તે જોઈ રાજાએ તેને માફ કર્યો અને સાધુ થવા માટે મંજૂરી આપી. રોહિણેયને ખરેખર પોતે જે કંઈ ભૂતકાળમાં કર્યું હતું તેનો ખૂબ જ પસ્તાવો થતો હતો. પોતાના ખોટા કાર્યો દ્વારા પ્રાપ્ત કરેલા કર્મોને ખપાવવા તેણે તપ કરવાનું શરૂ કર્યું. વૃદ્ધાવસ્થામાં એણે મહાવીરસ્વામીની આજ્ઞા લઈ સંલેખના વ્રત લીધું અને મરીને તેઓ સ્વર્ગમાં ગયા.
બોધ: પ્રમાણિકતા અને અચૌર્યના સિદ્ધાંતો આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. કોઈનું ચોરીને તેં ધન ગરીબોને સખાવત રૂપે આપવું ન જોઈએ ભલે તમે ધનનો અન્ય ક્ષેત્રમાં સારા કામ રૂપે ઉપયોગ કરો તો પણ ખોટું ખોટું જ છે. ખરાબ કર્મોનો ક્ષય કરવા માટે પસ્તાવો જરૂરી છે અને પછી આચરણ બદલવાનું. બીજી વાત આ વાર્તામાં જણાય છે કે માનવ અવતારમાં જ મોક્ષ શક્ય છે. સ્વર્ગીય દેવોને પણ મોક્ષ મેળવવા માનવ અવતાર લેવો પડે છે. માનવ તરીકે જન્મ મળે એટલે આપણે નસીબદાર અને તેથી તેનો સાચો ઉપયોગ કરી શક્ય તેટલા ખરાબ કર્મોનો ક્ષય કરવા પ્રયત્ન કરવા જોઈએ. ભગવાનમહાવીરના ઉપદેશની શક્તિ પણ જુઓ. ઉપદેશના થોડા શબ્દો એ પણ સહિરના આખા જીવનને બદલી નાખ્યો તો તેના સંપૂર્ણ ઉપદેશને સાભળો તો? દુર્ભાગ્યવશ આપણે તેમના ઉપદેશ તેમના મુખથી સાંભળી શકતા નથી પરંતુ આપણે ઉપદેશ આગમ દ્વારા મેળવી શકીએ છીએ. શક્ય એટલું આગમનો અભ્યાસ કરો અને તેને સમજવાનો પ્રયત્ન કરો જેથી રોહીણેયની જેમ આપણે પણ આપણું જીવન વધુ સારું કરી શકીએ.
Page 257 of 307