________________
Compodium of Jainism - Part (II)
શાલિભદ્રને સુભદ્રા નામની બહેન હતી જે ધન્ના શેઠને પરણી હતી. ધન્ના શેઠને આઠ પત્નીઓ હતી. એક દિવસ સુભદ્રા ધન્ના શેઠને સ્નાન કરાવતી હતી. એકાએક ધન્ના શેઠના શરીર પર સુભદ્રાના આંસુ પડ્યા. શા માટે રડે છે? એમ પૂછતા સુભદ્રા એ કહ્યું કે મારો ભાઈ બધું છોડીને સાધુ થવાનો છે. એ દરેક પત્ની સાથે એક એક દિવસ પસાર કરીને ૩૨ માં દિવસે સાધુ થશે. ધન્નાએ મશ્કરી કરી અને સુભદ્રાને કહ્યું, “તારો ભાઈ કાયર અને ડરપોક છે, અને સાધુ થવું જ છે તો શા માટે ૩૨ દિવસની રાહ જોવી?” આ સાંભળીને સુભદ્રા દુઃખી થઇ અને તેના પતિને કહ્યું, “કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.” આ સાંભળીને ધન્નાના મગજમાં ઝબકારો થયો અને પત્નીને કહ્યું, “હું આ ક્ષણે જ આઠે પત્નીઓનો ત્યાગ કરીને સાધુ થઈ જાવ છું.” સુભદ્રાને નવાઈ લાગી, તેને લાગ્યું કે તેનો પતિ મશ્કરી કરે છે. ઘન્નાએ કહ્યું, "હવે ઘણું મોડું થાય છે, મેં સાધુ થવાનું મક્કમપણે નક્કી કર્યું છે. તમારે પણ મારી સાથે જોડાવું હોય તો બહુ આનંદની વાત છે.” ધન્ના શેઠની મક્કમતા જોઇને સુભદ્રા તથા બીજી સાત પત્નીઓ પણ સાધ્વી થવા તૈયાર થઈ.
ધન્ના શેઠ પછી ત્યાંથી તેના સાળા શાલિભદ્રના મહેલે ગયા અને પડકારતા કહ્યું, “હે શાલિભદ્ર, જો તું તારા કુટુંબને અને અન્ય વસ્તુઓને છોડવા માંગતો હોય તો શેની રાહ જુએ છે! કાળનો ભરોસો ન રાખ ચાલ મારી સાથે જોડાઈ જા.”
શાલિભદ્ર એ તેની વાત સાંભળી અને તેનો પડકાર સ્વીકારી લીધો. એણે એની પત્નીઓને તથા કુટુંબના અન્ય સભ્યોને કહ્યું, “હું તમારા બધાનો ત્યાગ આજે જ કરું છું.” તે નીચે ગયો અને તેના બનેવી સાથે નીકળી પડ્યો. તેની પત્નીઓ પણ તેની સાથે થઈ. બધા મહાવીર સ્વામી પાસે ગયા દીક્ષા લઈ સાધુ-સાધ્વી બની ગયા.
સાધુ તરીકે આકરી તપશ્ચર્યા કર્યાં બાદ ધન્ના અને શાલિભદ્રનો નવો જન્મ સ્વર્ગમાં થયો. ત્યાંનો સમય પૂરો થતાં ફરી નવો માનવ જન્મ ધારણ કરશે અને મુક્તિ મેળવશે.
બોધ: નિસ્વાર્થ સેવા હંમેશા સાચું સુખ આપે છે. પાડોશીની મદદએ સમાજની સેવા કે દરકાર છે. દયા તથા પરોપકારનો ગુણ જીવનમાં એ નાના બાળકને અનેક ગણો બદલો આપે છે. પરિણામે તે સહેલાયથી બધું છોડી શકે છે. સત્કાર્યો હંમેશા આપણા આત્મા ઉપર પોતાની છાપ અંકિત કરે છે. સત્કાર્યો અને પ્રાયશ્ચિત આત્માને મુક્તિ ભણી લઇ જાય છે.
Page 245 of 307