________________
Compodium of Jainism – Part (II)
છે. શેઠાણીને કહ્યું, “બસ ૧૬ જ છે! મારે તો ૩૨ શાલ જોઈએ છે કારણકે મારી ૩૨ પુત્રવધૂઓ છે.” વેપારી લાગ્યું કે આ મારી મશ્કરી કરે છે. એક ખરીદે તો પણ સારું. શેઠાણીને કહ્યું, “જાઓ, શાલ લઇ આવો.” તેમણે સહેજ પણ વિચાર્યા વિના ૧૬ શાલ ખરીદી લીધી. વેપારીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. આથી વધુ નવાઇ તો એમને ત્યારે થઈ જ્યારે શેઠાણીએ દરેક શાલના બે કટકા કરી નાખ્યા, અને દરેક પુત્રવધૂને તેમના પગ લૂછવા આપ્યા. વેપારીઓ તો આશ્ચર્યથી દિગ્મૂઢ થઇ ગયા, પણ રાજી થતા ચાલ્યા ગયા. પુત્રવધુઓએ પગ લૂછી તે કટકા ફેંકી દીધા.
માર્નિશનના મહેલના નોકરોમાંથી એક નોકરાણી રાણીને જાણની હતી. તેથી માલનો એક કટકો રાણી માટે લઇ લીધો. એક બાજુ રાણી મૂંઝાયા પણ સાથે પોતાના રાજ્યમાં આવા શ્રીમંતો પણ છે તે જાણી આનંદ થયો. તેમણે રાજા શ્રેણિકને શાલ વિશેની વાત કરી અને રાજા પણ પોતાના રાજ્યમાં આવા સુખી માણસો વચ્ચે છે. જેનાથી રાજ્યની કીર્તી વધે તે જાણી ગર્વ અનુભવ્યો. તેમણે શાલિભદ્રને બિરાદાવવા પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. ભદ્રા શેઠાણીએ જાણ્યું તો તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે મારો દીકરો ખૂબ શરમાળ પ્રકૃતિનો છે આ માટે આપ અમારા મહેલ પધારો, શ્રેણિક રાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને શાલિભદ્રના મહેલ પર ગયા. શ્રેણિક રાજાએ શાલિભદ્રનો મહેલ જોયો તો તેમને લાગ્યું કે આની સરખામણીમાં મારો મહેલ તો કંઈ જ નથી. ભદ્રા શેઠાણીએ તેમને બેસવા જણાવ્યું અને શાલિભદ્રને નીચે આવી રાજાને માનપાનથી આવકારવા જણાવ્યું.
શાલિભદ્રને તો રાજા કે રાજ્ય વિશે કંઈ જ ખબર ન હતી. એટલે એને તો એમ થયું કે કોઈ વેપારી આવ્યો હશે અને તેનો માલ જોવા મને બોલાવે છે એટલે એણે કહ્યું, “મારે કંઈ જોવું નથી તમને યોગ્ય લાગે તો તમે ખરીદી લો.” તેની માતાએ કહ્યું, “આ કોઈ વેપારી નથી, તે આપણા રાજા છે, આપણા માલિક છે એટલે તારે નીચે આવવું જોઈએ, તેમને માનથી આવકારવા જોઈએ.”
માલિક શબ્દ એના કાનમાં ગુંજવા લાગ્યો. તેને નવાઈ લાગી, “મારા ઉપર વળી મારો માલિક કેમ? હું જ મારી જાતનો માલિક છું.” આવું વિચારતા વિચારતા તે નીચે આવ્યો. રાજાને માનથી બેસાડ્યા. પણ તે લાંબો સમય ત્યાં ઊભા રહ્યા. તેના માટે રાજાએ માલિક છે એવું જાણતાં એના મગજમાં ‘હું સ્વતંત્ર વ્યક્તિ નથી' એ જ વિચારો ચાલવા લાગ્યા. એને એના પિતાના વિચારો આવ્યા જે સાધુ બન્યા હતા અને જિંદગીનો સાચો અર્થ સમજાયો. એમણે એ જ ક્ષણે સાધુ બનવાનું નક્કી કર્યું અને પોતાના કુટુંબને પોતાના નિર્ણયની જાણ કરી. એમની માતાએ અને પત્નીઓએ તેને થોડો વધુ સમય રોકાઈ જવા સમજાવ્યા. તેમણે સંસાર છોડવાનો તો નક્કી કર્યું હતું. પણ પોતાના કુટુંબનો તાત્કાલિક ત્યાગ કરવાને બદલે ૩૨ પત્નીઓ સાથે એક એક દિવસ રહેવાનું નક્કી કર્યું. બત્રીસમાં દિવસ પછી સાધુ બની જશે. એ જ દિવસથી તેમણે તેનો અમલ શરૂ કરી દીધો.
Page 244 of 307