________________
Compodium of Jainism - Part (II)
1.8 પૂણિયા શ્રાવક
પુણિયા શ્રાવક તથા તેની પત્ની ખૂબ જ ગરીબ હતા. તેઓ એક ગામડામાં માટી અને ઘાસથી બનાવેલી ઝૂંપડીમાં રહેતા હતા. પુણિયાને નિયમ હતો કે જીવવાને માટે ઓછામાં ઓછી જરૂરિયાન જેટલું જ કમાવવું. એ સમયે બાર દોકડા રૂપિયાનો આઠમો ભાગ) એક દિવસ માટે જોઇએ જે તે રૂ કાંતિને તેને વેચીને કમાઈ લેતો. બીજો એવો નિયમ હતો કે કોઈ સદગુણી માણસને રોજ જમાડવો. રોજ જમાડવાની શક્તિ ન હોવાથી તે એક દિવસ ઉપવાસ કરે તો બીજે દિવસે તેની પત્ની ઉપવાસ કરે. ગરીબ હોવા છતા તેઓ સાધર્મિક મહેમાનગતિ કરતા. આ રીતે આ દંપતી જરૂરિયાતવાળાને મદદ કરતા.
પુણિયા શ્રાવક દરરોજ સામાયિક કરતા. એક દિવસ સામાયિક દરમ્યાન તેઓ બરાબર ધ્યાન ન ધરી શક્યા. આજે શા માટે ધ્યાનમાં રહેવાતું નથી તેનો બહુ વિચાર કર્યો પણ કારણ ન શોધી શક્યા. એટલે તેણે તેની પત્નીને પૂછ્યું, “આજે એવું તે શું બન્યું છે કે હું બરાબર ધ્યાન ન કરી શક્યો?” પહેલા તો તેની પત્ની કંઈ જ વિચારી ન શકી. બહુ વિચારતા તેને ખ્યાલ આવ્યો કે બજારમાંથી પાછા ફરતા શેરીમાંથી રસોઇ કરવા માટે છાણાં લાવ્યા હતા. આ વિશે તેણે પુણિયાને વાત કરી. પોતાના રોજ કમાયેલા પૈસામાંથી જ કંઈપણ લાવવું જોઈએ એ સિવાય આપણે કંઈ પણ ન લઈ શકીએ. શેરીમાં પડેલા સુકાઈ ગયેલા ગાયના છાણની કિંમત નથી અને તેની માલિકી પણ કોઈની ન હોય છતાં આપણે તેને લઈ ન શકીએ. આ રીતે આપણા ઘરમાં મફત આવેલ વસ્તુના હિસાબે મારાથી ધ્યાન બરાબર ન થઈ શકયું. પુણિયાના જીવન ધોરણો ખૂબ જ ઉચ્ચ હોવાથી તે સાચું સામાયિક કરી શકતો હતો. મહાવીર સ્વામી પણ તેમના વ્યાખ્યાનમાં પુણિયાના વિધિપૂર્વકના સામાયિકની પ્રશંસા કરતા.
શ્રેણિક રાજાએ આવતા જન્મમાં નરક જવાનું કર્મ બાંધેલું હતું. બીજા જન્મમાં નરકની યાતનાઓ ન ભોગવવી પડે તે માટે પોતાના ખરાબ કર્મો બદલવા માટે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર સ્વામીને જણાવ્યું મારે બીજા જન્મમાં નરકની યાતના ભોગવવી ન પડે તે માટે હું મારું સમગ્ર રાજય આપી દેવા તૈયાર છું. પરંતુ આયુષ્ય કર્મનો સિદ્ધાંત એવો છે કે બાંધેલું આયુષ્ય કર્મ કોઈપણ સંજોગોમાં બદલી શકાતું નથી. તેથી ભગવાન મહાવીર સ્વામીએ આ વાત રાજાને બરાબર સમજાવવા માટે કહ્યું, “તમારે પુણ્ય કર્મ એટલે કે સારી ગતિવાળા કર્મ કમાવવા હોય તો પુણિયા શ્રાવકના સામાયિકને ખરીદો અને તો જ તમે તમારા આયુષ્ય કર્મને બદલી શકો. રાજા શ્રેણિક પુણિયા શ્રાવકના ઘરે ગયા. પુણ્ય કર્મ માટે તેમની કરેલી એક સામાયિકનું પુણ્યકર્મ આપવા વિનંતી કરી. બદલામાં શ્રેણિક રાજા પોતાનું આખું સામ્રાજ્ય આપવા તૈયાર હતા. પુણિયા શ્રાવકે કહ્યું, “ રાજા, મારે પૈસા નથી જોઈતા. અમારી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તમે આપી છે. હું મારી માલિકીનું બધું જ મારા જીવન સહિત આપને આપવા તૈયાર છું. તમે ખૂબ જ મહાન
Page 241 of 307