SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) મેળવી શકે માટે તારે તારી ભૂલ માટે પ્રાયશ્ચિત કરવું પડે.” ગૌતમ સ્વામીએ પોતાની ગોચરી એક બાજુ મુકીને તરત જ આનંદ પાસે તેની પ્રમાણિકતા અને સચ્ચાઈ માટે શંકા કરી તેની માફી માંગવા પાછા ગયા. જૈન ધર્મની એવી ખાસીયત છે કે ગુરુ પણ શિષ્ય પ્રતિ ભૂલ કરે તો શિષ્યની માફી માંગે અને સાધુ સામાન્ય માણસ પ્રત્યે ભૂલ કરે તો તેમને સામાન્ય માણસની પણ માફી માંગવી પડે. પાછલી જિંદગીમાં મૃત્યુ ન આવે ત્યાં સુધી આનંદ ઉપવાસ પર જ રહ્યા. મૃત્યુ બાદ સ્વર્ગમાં સૌધર્મ દેવલોકમાં જનમ્યા. સ્વર્ગની અવધિ પૂરી કરશે એટલે તે ફરી માનવ જન્મ લેશે અને મુક્તિ મેળવશે. બોધ: જૈન ધર્મના આચારના નિયમો પ્રમાણે માનવ જીવનમાં આપણે ૧૨ વ્રતનું પાલન કરવું જોઈએ. ગૃહસ્થ શ્રાવકને સત્યમાં રહેલી દૃઢ શ્રદ્ધાની આ વાર્તા છે. વળી આ વાર્તા બતાવે છે કે ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના સાદા, નમ્ર અને સાચા અનુયાયી હતા. જ્યારે ભગવાને તેમની ભૂલ બતાવી ત્યારે સહેજ પણ અચકાયા વગર તે આનંદ પાસે ગયા અને પોતે મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય હોવા છતાં આનંદ શ્રાવકની માફી માંગી. ભગવાન મહાવીર પણ કેટલા ભેદભાવ રહિત હતા તે પણ આ વાર્તા પરથી જાણી શકાય છે. કારણ કે ગૌતમ સ્વામી પટ્ટ શિષ્ય હોવા છતાં તેમની ભૂલોને છાવરતા નથી. પણ સત્યનો પક્ષ લઈ ગૌતમસ્વામીને એમની ભૂલ સમજાવે છે. Page 240 of 307 ||"
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy