SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) 1.7 આનંદ શ્રાવક ભારતના વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ ગામમાં આનંદ નામે એક સમૃદ્ધ સુખી ગૃહસ્થ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. એની પાસે ૪૦ લાખ સોનાના સિક્કા, એટલું જ નગદ નાણું, ધંધામાં રોકેલી એટલી જ મુડી, દર દાગીના અને બીજી ઘણી બધી સ્થાવર-જંગમ મૂડી હતી. તેની પાસે ૪૦ હજાર ગાયો પણ હતી. રાજા તથા વાણિજ્ય ગામની પ્રજા તેને ખૂબ માન આપતા હતા. એકવાર ભગવાન મહાવીરસ્વામી તે ગામમાં ઉપદેશ આપવા પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળ્યા પછી આનંદે જૈન ધર્મ સ્વીકારી શ્રાવકના બાર વ્રતોનો નિયમ લીધો. આનંદે આ નિયમો ૧૪ વર્ષ સુધી પાળ્યા અને તે દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરી. એક દિવસ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની આગવી શક્તિ તપ, સંયમ અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થઇ. અહીં મળેલું અવધિજ્ઞાન અન્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા સામાન્ય માણસ કરતા વધુ શુદ્ધ અને શક્તિશાળી હતું. આ સમયે ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વગેરે તેમના શિષ્યો સહિત તે શહેરમાં વિચરતા હતા. જ્યારે ગૌતમસ્વામી ગોચરી લઈ પાછા ફરતા હતા ત્યારે જોયું કે લોકો અવધિજ્ઞાન પ્રાપ્ત કરેલ આનંદ શ્રાવકને વંદન કરવા જતાં હતા. તેમણે પણ તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આનંદ પોતાના આધ્યાત્મિક ગુરુ ગૌતમસ્વામીને જોઈ ને ખુશ થયા. તપને કારણે તે ખૂબ જ અશક્ત હોવા છતાં ગૌતમ સ્વામીને પ્રેમથી આવકાર્યા. ગૌતમ સ્વામીએ તેને શાતા પૂછી. પછી તેને મળેલી ખાસ આગવી અવધિજ્ઞાનની શક્તિ વિશે પૂછ્યું. આનંદે ખૂબ વિવેકથી જવાબ આપ્યો, “આદરણીય ગુરુદેવ, મને જે આગવી શક્તિ મળી છે તેને આધારે હું ઉપર સૌથી પહેલું સ્વર્ગ અને નીચે સૌથી પહેલું નર્ક જોઈ શકું છું.” ગૌતમ સ્વામીએ આનંદને સમજાવ્યું, “સામાન્ય માણસ અવધિજ્ઞાનની આગવી શક્તિ મેળવે તો પણ આટલું વ્યાપક જોઈ ન શકે, માટે આવા વિશાળ દર્શન ની કલ્પના તું કરે છે પણ સત્ય ન હોય તે માટે તારે પ્રાયશ્ચિત કરવું પડે.” આનંદ મૂંઝાયો, પોતે સમજે છે કે એણે જે કહ્યું છે તે સત્ય છે, છતાં ગુરુદેવ તેના પર વિશ્વાસ નથી કરતા અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે. તેણે ફરી ખૂબ જ નમ્ર ભાવે ગૌતમસ્વામી ને પૂછ્યું, “કોઈએ સત્ય બોલવા માટે પ્રાયશ્ચિત કરવું પડે?” ગૌતમ સ્વામી પણ મૂંઝાયા અને જવાબ આપ્યો, “સત્ય બોલવા માટે કોઈએ પ્રાયશ્ચિત ન જ કરવાનું હોય.” તેઓ આનંદના ઘરેથી નીકળીને ભગવાન મહાવીર સ્વામીને પુછવા માટે ચાલ્યા. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરસ્વામી પાસે આવીને વંદન કરીને આનંદની આગવી શક્તિ વિશે પૂછ્યું. ભગવાન મહાવીરે જણાવ્યું, “ગૌતમ, આનંદ સાચું જ કહે છે. એણે સાચા અર્થમાં વ્યાપક સ્વરૂપમાં અવધિજ્ઞાન મેળવ્યું છે. સામાન્ય માણસ ભાગ્યે જ આવી શક્તિ અને જ્ઞાન Page 239 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy