________________
Compodium of Jainism – Part (II)
આવું પાપ હું ક્યારેય નહીં કરું. "સાચા પ્રાયશ્ચિતના કારણે તેમના બધા જ ખરાબ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
હવે તેઓ કેવળ મુનિ કહેવાયા. પછી કેવલી અઈમુત્તામુનિ મહાવીરસ્વામીની સભામાં ગયા અને જ્યાં કેવલી સાધુઓ બેઠા હતા ત્યાં બેસવા ગયા. કેટલાક સાધુઓએ આ જોયું અને કહ્યું, “અઈમુત્તા તું ક્યાં જાય છે? એ જગ્યા તો કેવલી મુની માટે છે. માટે જ્યાં બીજા સાધુઓ બેઠા છે ત્યાં જઈને બેસો.” મહાવીર સ્વામીએ તરત જ કહ્યું, “સાધુઓ, કેવલી મુનિનું અપમાન ન કરો. તે હવે કોઈ સામાન્ય સાધુ નથી. જ્યારે ઇરિયાવહીયા કરતા હતા ત્યારે જ તેમના બધા ઘાતી કર્મોનો નાશ થયો છે અને તેઓ કેવલી બન્યા છે."
સાધુઓને તેમની ભૂલ સમજાય અને તેમને વંદન કરવા લાગ્યા.અને વિચાર્યું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો. અંતે બાલમુનિ અઈમુત્તાને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી.
બોધ: જૈન ધર્મ સમજવા અને તેના પાલન માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. તેને માટે સાચી શ્રદ્ધા, સમજ અને જૈન ધર્મના સિદ્ધાંતો સમજવા અને અમલમાં મૂકવા માટેની ધીરજ મહત્વના છે. આપણે ભૂલો કરીએ છીએ અને ખોટા કર્મો બાંધીએ છીએ. તે ભુલો પછી સહેતુક હોય કે અજાણતા થતી હોય. શક્ય છે કે કર્મોને લીધે અજાણતા થયેલી ભૂલોને સાચા અને હૃદય પૂર્વકના પ્રાયશ્ચિતથી સુધારી શકીએ. ગમે તેમ પણ પાછળથી પ્રાયશ્ચિત કરી ભૂલો સુધારીશું તેમ માનીને કોઇ એ જાણી જોઈને સહેતુક ભૂલો ન કરવી જોઈએ આવું પ્રાયતિ વ્ય છે.
Page 238 of 307