SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) તેમણે દીકરાને કહ્યું, “દીકરા, ખૂબ અભિનંદન! મને તારા માટે ગર્વ થાય છે. તું સારો સાધુ બની શકીશ. તારું ધ્યેય મુક્તિ છે તે તુ ભુલીશ નહીં. આખી જિંદગી અહિંસાનું પાલન કરજે. હું તને દીક્ષા જૈવાની અનુમતિ આપે છે. મુત્તાએ કહ્યું. મુખ્ય માતા, આપનો ખુબ ખુબ આભાર. તમારી સોનેરી સલાહ હું કાયમ યાદ રાખીશ.” અઈમુત્તાના માતાએ તેમને આશીર્વાદ આપ્યા અને નવા જીવનની સફળતા ઇચ્છી. પછી તેમણે પિતાશ્રી રાજા વિજય પાસેથી પણ અનુમતિ અપાવી. અઈમુત્તા થોડા દિવસ પછી દીક્ષા લઈને સાધુ બન્યા. સહુ તેમને બાલમુનિ અઈમુત્તા કહેતા હતા. એક દિવસ બાલમુનિએ કેટલાક છોકરાઓને ખાબોચિયામાં કાગળની હોડી બનાવી રમતા જોયા. તેને રમવાની તીવ્ર ઇચ્છા થઇ. તે ભૂલી ગયો કે સાધુ થઈને પાણી સાથે રમાય નહીં. તે દોડતો છોકરાઓ પાસે ગયો અને રમવાની ઈચ્છા પ્રગટ કરી. બાળકો પણ એક સાધુ પોતાની સાથે રમવા આવ્યા છે તે જાણી ખૂબ ખુશ થયા. એમણે એમનાં પાત્રાનું ઢાંકણ ખોલી નાખ્યું અને એ જાણે કે હોડી હોય તેમ રમવા લાગ્યા. તેમણે બધાને કહ્યું, “જુઓ, મારી હોડી પણ તરે છે.” એટલામાં બીજા સાધુઓ ત્યાં આવ્યા અને જોયું તો બાલમુનિ પાણી સાથે રમતા હતા. તેમણે કહ્યું, “બાલમુનિ! આ શું કરો છો? સાધુ થઈને પાણીથી ન રમાય તે ભૂલી ગયા? પાણી સાથે રમવાથી પાણીના જીવને દુઃખ થાય. સાધુ તરીકે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે કોઈ પણ જીવને દુઃખ નહિ આપીએ. તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો અને ખરાબ કર્મો બાંધ્યા.” બાલમુનિ અઈમુત્તાને પોતાની ભૂલ સમજાઈ. એમણે તરત જ પ્રાયશ્ચિત કરવા માંડ્યું. “અરે! મેં આ શું કર્યું?” મેં મારી માતાને વચન આપ્યું હતું કે પાપ લાગે એવું કોઈ કાર્ય હું નહીં કરું. આ સાધુઓ ઘણા દયાળુ છે કે મને મારું કર્તવ્ય યાદ કરાવ્યું. જો આ સાધુઓ ન આવ્યા હોત તો મારું શું થાત? તે બીજા સાધુઓ સાથે ઉપાશ્રયમાં પાછા ફર્યા. સાધુ બહારથી પોતાના ઉપાશ્રયમાં પાછા ફરે ત્યારે તેમને રસ્તામાં થયેલી હિંસાના પ્રાયશ્ચિત માટે ઇરિયાવહીયં કરવું પડે. આ બનાવ અઈમુત્તાની સાત વર્ષની ઉંમરે બન્યો હતો. ત્યારપછી તેમણે વડીલ મુનિઓ પાસે ૧૧ અંગ આગમનો અભ્યાસ કર્યો ૧૩ વર્ષની ઉંમરે એક વખત ઇરિયાવહીય બોલતા બોલતા તેઓ પાણકકમી, બિયામણે, હરિયમ, ઓસા તંત્ર, પગ દગ મી બોલતા દગ શબ્દ પર વિચારતા પૂર્વના પ્રસંગનું સ્મરણ થતાં વિચારવા લાગ્યા જો મેં કોઈપણ પાણી, લીલોતરી, અથવા માટીમાં થતાં જીવંત જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માગું છું. તેના પ્રાયશ્ચિત્તનો કોઈ છેડો ન હતો. પોતે જે કંઈ કર્યું તેને માટે તેઓ દુઃખી હતા. તેઓ વિચારવા લાગ્યા, “મેં આ શું કર્યું? કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવો ને દુઃખ પહોંચાડયું? હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશ? હે જીવો, હું તમારા દુ:ખનું નિમિત્ત બન્યો છું. મારા પાપો માટે મને માફ કરો. ફરી Page 237 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy