________________
Compodium of Jainism - Part (II)
દયાળુ રાજા છો. પણ માત્ર સામાયિકનું પુણ્યકર્મ આપને કેવી રીતે આપવું તે હું જાણતો નથી. સારા કર્મો ખરીદી શકાતા નથી, એતો દરેકે જાતે જ કરવા પડે છે.”
રાજા શ્રેણિક સમજી ગયા કે પોતાની ગમે તેટલી સંપત્તિ પણ પુણિયા શ્રાવકના સામાયિક દ્વારા મળતા પુણ્ય કર્મને મેળવવાં પૂરતી નથી. પોતાના રાજ્યમાં પોતે સૌથી ગરીબ માણસ છે એવું તે અનુભવવા લાગ્યા. રાજા શ્રેણિક નિરાશ થવા છતાં પુણિયાની શ્રદ્ધાની અનુમોદના કરતા ત્યાંથી ચાલ્યા ગયા. અને મનમાં દૃઢ સંકલ્પ કર્યો કે પુણિયા જેવી ધર્મ શ્રદ્ધા હું પણ કેળવીશ.
બોધ: આ વાર્તા બતાવે છે કે મર્યાદિત આવકમાં પણ સંતોષથી જીવી શકાય. પણ અણહકનું આપણાથી કંઈ પણ ગ્રહણ કરી શકાય નહીં જીવવા માટે જરૂર કરતાં વધુ પડતા પૈસાનો સંગ્રહ ન કરો. સંકલ્પો કે ધર્મ સંબંધી ક્રિયાઓ આધ્યાત્મિક ઉન્નતિ માટે હોય છે નહીં કે આર્થિક લાભ માટે. સામાયિક અને ધ્યાનની બીજી ક્રિયાઓ તથા પ્રેમ દ્વારા મળતા લાભ અંતર આત્માનું પ્રેરક બળ છે નહીં કે સંઘર્ષ તરફ પ્રેરે તેવા ઉદેશયોનું.
Page 242 of 307