________________
Compodium of Jainism – Part (II)
ઈચ્છાને પૂર્ણ કરી ત્યારથી તેઓ મેધમુનિ તરીકે ઓળખાયા અને તેઓ કડકપણે અતિ સંયમી જીવન જીવ્યા. પોતાના કર્મ ખપાવવા ઘણા દિવસો સુધી ધ્યાનમાં જ રહેતા અને તેથી તમને ઘણા દિવસોના ઉપવાસ થયા. આમ કરતાં તેઓ ખૂબ જ અશક્ત થઈ ગયા. તપ કરવાની કોઈ શક્તિ ન રહી ત્યારે મૃત્યુપર્યંત ઉપવાસ કરવાનું નક્કી કર્યું. માને સૌખના વ્રત કહેવાય છે. રાજગૃહી નજીક આવેલા વૈભવ ગિરિ પર્વત પર તેઓ ઉપવાસી થઈ બેસી ગયા. મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જનમ્યા. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે સ્વર્ગીય જિંદગી પૂરી થશે એટલે એ ફરી માનવ તરીકે જન્મ લેશે અને પછી મુક્તિ મેળવશે.
બોધ: આ વાર્તા કરુણાનું એક ઉત્તમ ઉદાહરણ છે. નાના જીવને બચાવવા હાથી અગવડ તથા કષ્ટ સહન કરે છે. આપણે વધુ વિકસિત અને વધુ બુદ્ધિશાળી છીએ તો એકબીજાને મદદરૂપ થવાનું આ પ્રાણી પાસેથી શીખવું જોઈએ. વધારેમાં કોઈ સાધુ જીવન જીવવાની પ્રતિજ્ઞા કરે તો તેને દુનિયાની સુખોમાં પાછા લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સુખ ભોગનો ત્યાગ કરનારનું જીવન કઠોર અને કષ્ટદાયક હોય છે. જેનાથી તે આત્માના સાચા સ્વરૂપને સમજી શકે છે. આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દુનિયાના સુખોને કાયમ માટે એક બાજ મૂકી દેવા પડે કારણ કે તે વસ્તુને વિકૃત રૂપે રજૂ કરે છે, મુશ્કેલીઓ આવશે કારણ કે પાછલા કર્મો છે તેને સમતાપૂર્વક સહન કરવા જોઈએ અને તે સમયે આપણી દ્રષ્ટિ આત્માના સાક્ષાત્કાર ઉપર જ કેન્દ્રિત કરવી જોઈએ.
Page 234 of 307