________________
Compodium of Jainism – Part (II)
એક રાત્રે તે નવદીક્ષિત નાના સાધુ હોવાથી તેમને બારણા પાસે સૂવાની જગ્યા મળી. રાત દરમિયાન બીજા સાધુઓ લઘુશંકા જવા માટે તેમને કૂદીને જતા. ઉપાશ્રયમાં રાત્રે દીવો ન હોવાથી જનાર સાધુના પગ તેમને અડી જતા. વૈભવમાં ઉછરેલા મેઘકુમાર આખી રાત ઊંઘી ન શક્યા. તેમનું શરીર અને સંથારો ધૂળથી ભરાઈ ગયા. તેમને લાગ્યું કે તે આવી કઠોર જિંદગી પોતે ની નકી નાકે. અને તેથી સાધુપણું છોડી દેવાનું વિચાર્ય
સવારે તેઓ ભગવાન મહાવીર પાસે ઘરે પાછા જવાની આજ્ઞા માંગવા ગયા. રાતના મેઘકુમારને પડેલી તકલીફોથી ભગવાન માહિતગાર હતા તેથી તેમણે કહ્યું, “મેઘકુમાર, તમને યાદ નથી પણ પાછલા ભવમાં તમે ઘણી તકલીફો વેઠી છે.”
“પાછલી જિંદગીમાં તમે મેરુપ્રભુ નામે હાથીઓના રાજા હતા. એકવાર જંગલમાં ભયંકર આગ લાગી હતી ત્યારે તેમાંથી તમે મહા મહેનતે છટકી શક્યા હતા. તમે વિચાર્યું કે જંગલમાં ફરી આગ લાગે તો બધા પ્રાણીઓને આશરો મળે તેવું કરવું જોઈએ આના માટે તમે જંગલની ઘણી બધી જમીન પરથી ઝાડપાન દૂર કરી દીધા. ત્યાં આજુબાજુ ઉગેલું ઘાસ પણ કાઢી નાખ્યું.”
“એકવાર જંગલમાં ફરી ભયાનક દાવાનળ ફાટી નીકળ્યો. બધા પ્રાણીઓ દોડીને તમે સાફ કરેલી જગ્યા પર આશરો લેવા આવી પહોંચ્યા. તમે પણ ત્યાં જ હતા. પગ પર ખણજ આવવાથી પગ ઊંચો કર્યો. તે સમયે એક સસલું તમારા પગ નીચેની જમીન પર આશરો લેવા દોડી આવ્યું. સસલાને રક્ષણ આપવા તમે તમારો પગ ઊંચો જ રાખ્યો. બે આખા અને ત્રીજા અડધા દિવસ બાદ આગ બુઝાઈ. આ બધા જ સમય દરમિયાન તમે પગ ઊંચો રાખીને ઉભા હતા.”
“આગ બુઝાઇ ગયા પછી બધા પ્રાણીઓ પાછા ફર્યા ત્યારે તમે પગ નીચે મુકવાનો પ્રયત્ન કર્યો. પણ પગ એવો અકળાઈ ગયો હતો કે તમે તમારા સંતુલન ન જાળવી શક્યા અને પડી ગયા. અસહ્ય વેદનાને કારણે તમે ઉભા ન થઈ શકયા. ત્રણ દિવસ અને રાત તમે અસહ્ય પીડામાં પડી રહ્યા. એમને એમ તમારું મૃત્યુ થયું. સસલા પ્રત્યેની દયાને કારણે રાજા શ્રેણિકના પુત્ર તરીકે જન્મ્યા. એક સસલા માટે તમે આટલું બધું સહન કર્યું તો બદલામાં આ જન્મે કીમતી માનવ અવતાર મળ્યો, તો પછી અજાણતાં જ સાથી સાધુઓના પગ લાગી જવું કે ધૂળ આવી જવી કેમ સહન નથી કરી શકતા? આ દુનિયાના સુખોનો ત્યાગ કરી સાધુ બનવું મુક્તિ તરફનું પહેલું પગલું છે. દુઃખ સહન કરવા કે સુખ પ્રાપ્ત કરવા એ આપણા કર્મોનું પરિણામ છે. આ સુખ દુઃખ તો ક્ષણિક છે કાચી સુખ તો મુક્તિમાં રહેલું છે."
મેઘકુમાર મંત્ર મુગ્ધ બનીને ભગવાનની વાણી સાંભળી રહ્યા. તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. તેમણે ભગવાનને વિનંતી કરી કે સંસારમાં પાછા જવાની તીવ્ર ઈચ્છા પ્રગટ કરીને મેં સાધુત્વની પ્રતિજ્ઞા તોડી છે તો ફરી મને સ્વીકારી જ્ઞાન આપો. ભગવાન મહાવીરે તેમની
Page 233 of 307