________________
Compodium of Jainism – Part (II)
ભગવાનને તેલથી ભરેલા કુંડામાં બેસાડી તેલથી આખા શરીરે માલિશ કરીને કાનની શૂળો ખેંચી કાઢી. અસહ્ય વેદનાને કારણે મહાવીર સ્વામીથી ચીસ પડાઇ, વૈદે ઘા પર દવા લગાવી. તીર્થંકર મહાવીર ત્યાં જ તરત જ શાંતિથી અને સ્થિરતાથી ઊંડા ધ્યાનમાં ચાલ્યા ગયા.
બોધ: મુસીબતના દરેક પ્રસંગે શારીરિક કષ્ટ અને પીડા ઉપર મહાવીરના મન અને આત્માનો વિજય દેખાય છે. તેમનું ધ્યાન અને પ્રાયશ્ચિત તેમના આત્માને શુદ્ધ કરે છે. આને લીધે તેઓ પોતાની જાતને ભૌતિક ક્ષણ ભંગુર ચીજોથી અલગ કરી શાશ્વત એવા આત્માની મુક્તિ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.
Page 231 of 307