SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) 1.4 કાનમાં ખીલા : ભગવાન મહાવીરનો છેલ્લો ઉપસર્ગ તીર્થંકર મહાવીરે ૧૨ વર્ષ ધ્યાન અને તપમાં સફળતાપૂર્વક પસાર કર્યા. તેમનું જીવન ઉદાહરણ રૂપ હતું. એમણે અત્ય, અહિંસા, ક્ષમા, દયા, નિÁયપણું, યોગ અને સાચા જ્ઞાનને ઉદાહરણરૂપે અપનાવ્યા. તેરમાં વર્ષમાં એક નવી આફત આવી. છમ્માણી ગામ પાસે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં ઉભા હતા. તે સમયે એક ગાયોનો ગોવાળ પોતાના બળદ તેમની દેખરેખ નીચે મૂકીને ગામમાં કામે ગયો. તીર્થંકર મહાવીર તો ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેઓએ ગોવાળને કાંઈ પણ જવાબ આપ્યો ન હતો. ગામમાં ગયેલો ગોવાળ મોડેથી પાછો આવ્યો. બળદો ચરતાં ચરતાં ક્યાંક દૂર જતા રહ્યા હતા. તેના બળદ નહીં મળવાથી તેણે સાધુને પૂછ્યું, “એ સાધુ, મારા બળદ ક્યાં ગયા?” ભગવાન મહાવીર ઊંડા ધ્યાનમાં હતા, તેથી આ બધા થી સાવ અજાણ હતા. ગોવાળે ફરી પૂછ્યું પણ ફરી પણ કોઈ જવાબ ન મળ્યો. તે અકળાયો અને બૂમો પાડીને પૂછવા લાગ્યો, “હે ઢોંગી સાધુ, તું બહેરો છે કે તને કંઈ સંભળાતું નથી?” તીર્થંકર મહાવીરે હજુ પણ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ગોવાળ ખૂબ જ ગુસ્સે થયો. “હે ઢોંગી સાધુ, તારા બંને કાન નકામા થઈ ગયા છે કે શું? જરા વાર થોભ, તારા બંને કાનનો ઉપાય કરું છું. "તેણે બાજુમાં પડેલા ઘાસની અણીદાર શૂળો કાનમાં પથ્થરથી ઊંડે સુધી ઠોકી દીધી. કોઈ કાડી ના શકે એ માટે બહારનો ભાગ કાપી નાખ્યો. આવા તીવ્ર કષ્ટદાયક પ્રસંગે પણ મહાવીર તેમની ધ્યાનસ્થ અવસ્થામાં જ રહ્યા. એમણે ન તો પીડાનો અનુભવ કર્યો કે ન તો ધ્યાનમાંથી જાગૃત થયા. ધ્યાન પૂર્ણ કરી ગોચરી માટે ગામમાં ગયા. તેઓ સિદ્ધાર્થ નામના વેપારીના ઘેર ગયા. તે સમયે વેપારી સાથે તેમના વૈદ મિત્ર બેઠેલા હતા. બંનેએ મહાવીર સ્વામીને ગોચરી વ્હોરાવી. *. વૈદે સિદ્ધાર્થને કહ્યું, “ મિત્ર, સાધુના મુખ પર દૈવી તેજ હતું પણ દુઃખની છાયા પણ હતી. કોઈ અંદરનું દુઃખ તેની આંખોમાં દેખાતું હતું. આ મહાન સાધુ કોઇ દર્દથી પીડાય છે.” સિદ્ધાર્થે જવાબ આપ્યો, “આવા મહાન સાધુને કોઈ દર્દ હોય તો આપણે તરત જ ઉપાય કરવો જોઈએ.” ગોચરી લઈને ભગવાન મહાવીર સ્વામી પાછા ફર્યા. વૈદ અને સિદ્ધાર્થ તેમની પાછળ પાછળ તેઓ જ્યાં ઉતર્યા હતા ત્યાં ગયા. તેમને તપાસતા તેમના કાનમાં ઘાસની અણીદાર શૂળો ખોસેલી જોઈ. તેમણે જરૂરી દવાઓ તથા ઉપચારના સાધનોની સગવડ કરી. શૂળો કાઢવામાં સરળતા રહે તે માટે Page 230 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy