________________
Compodium of Jainism - Part (II)
પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર રાખી અડદ લઈને બેઠી હોય તે જ વહોરાવે. તેની આંખમાં આંસુ હોવા જોઈએ.
ભગવાન મહાવીરે જોયું કે પોતાના અભિગ્રહ પ્રમાણે બધું બરાબર છે. અભિગ્રહની તમામ શરતો પૂર્ણ થતા મહાવીરે ખુશ થઈને ચંદનબાળાના બાકડા વ્હોર્યા. અભિગ્રહને કારણે મહાવીરને પાંચ માસ અને ૨૫ દિવસના ઉપવાસ થયા હતા. પારણું થવાથી સ્વર્ગના દેવતા પણ ખુશ થયા. ત્યાં જ ચમત્કાર થયો અને ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. માથાના વાળ ઊગી ગયા અને રાજકુંવરી જેવા વસ્ત્રોમાં તે શોભી રહી. દેવદુંદુભિના નાદથી રાજા શતાનીક વિચારમાં પડ્યા. તે પોતાના રાજ પરિવાર તથા ગામલોકો સાથે ચંદનબાળાને મળવા આવ્યા. પોતાના પિતાના સમયના ચાકરે ચંદનબાળાને ઓળખી. તે ચંદનબાળા પાસે ગયો અને નમસ્કાર કરી રડી પડ્યો. રાજાએ પૂછ્યું, “અરે ભાઈ, તું શા માટે રડે છે?” ત્યારે સમપુલ નામના સેવકે જવાબ આપ્યો, “રાજાજી, આ ચંપાપુરીના રાજા દધિવાહન અને ધારીણીની દીકરી વસુમતી છે.” રાજા રાણી હવે એને ઓળખી ગયા અને પોતાની સાથે રહેવા બોલાવી.
જ્યારે ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે તે સમયે ચંદનબાળાએ દીક્ષા લીધી અને પ્રથમ સાધ્વી બન્યાં. શ્રાવિકાઓના જૈન સંઘમાં તેઓ મુખ્ય વડા સાધ્વી બન્યાં. પાછળથી તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને જન્મ- મરણના ફેરામાંથી મુક્તિ મેળવી
બોધ: આ વાર્તા દ્વારા અનેક સારી વર્તણૂક વિશે શીખવા મળે છે. મુલાના મનમાં ભારોભાર ઈર્ષાથી ભરેલી છે. તેથી તે ચંદનબાળાની દીકરી તરીકેની વર્તણૂંક સમજી ન શકી અને તેના પતિના પિતા તરીકેના પ્રેમને ઓળખી ના શકી. તેણે ચંદનબાળાને ભયંકર ત્રાસ આપ્યો અને નીચ કર્મ બાંધ્યા. આ ઉપરથી આપણે ઈર્ષાની વિનાશકારી શક્તિ જોઈ શકીએ છીએ અને તેનાથી દૂર રહેવું જોઈએ તે સમજાય છે. વૃદ્ધ દાસીએ નિસ્વાર્થ ભાવે જે કંઈ બન્યું હતું તે જણાવ્યું, તેણે આ કેવળ દયા ભાવથી પ્રેરાઇને જ કર્યું જેના કારણે મુલાના હાથે તેને ઘણું સહન કરવું પડ્યું હતું. આ સારું કાર્ય તેના આત્માને સારા કર્મોથી ભરે છે જેને પુણ્ય કહીએ જે જૈન ધર્મનો મહત્વનો સિદ્ધાંત છે. તેજ પ્રમાણે ધનાવહનો દયાભાવ અને ચંદનબાળાને પિતૃ ભાવથી આધાર આપવો તથા અનાથને મદદ કરવાની ઈચ્છા આપણને તેવી દયા રાખવા જણાવે છે. છેલ્લે ચંદનબાળાનો પોતાની દયાજનક સ્થિતિ હોવા છતાં ભગવાન મહાવીર સ્વામીને ભિક્ષા આપવી એ અંતરમાંથી પ્રગટેલો નિસ્વાર્થ પૂજ્યભાવ છે. જૈન ધર્મના આ સિદ્ધાંતોનું પાલન ચંદનબાળાને મોક્ષના માર્ગ તરફ લઈ ગયા.
Page 229 of 307