________________
Compodium of Jainism – Part (II)
થઈ. તેને લાગ્યું કે તેની શંકા સાચી જ છે. જેમ બને તેમ જલ્દી ચંદનબાળાથી છુટકારો મેળવવો જોઈએ.
એકવાર ધનાવહ શેઠ વેપાર અર્થે ત્રણ દિવસ બહારગામ ગયા ત્યારે મુલાએ આ તક ઝડપી લીધી. એણે હજામને બોલાવીને ચંદનબાળાના સુંદર વાળ કપાવી નાખ્યા અને મુંડન કરાવી નાખ્યું. ભારે સાંકળોથી તેના પગ બાંધીને તેને મકાનના ભોયરામાં પૂરી દીધી. નોકરોને કડક સૂચના આપી કે ધનાવહ શેઠ આવે ત્યારે ચંદનબાળા ક્યાં છે તે તમારે નહીં કહેવાનું. નહીં તો તમારા હાલ પણ ચંદનબાળા જેવા થશે. મુલા તરત જ પોતાના પિયર ચાલી ગઇ.
ધનાવહ જ્યારે પ્રવાસેથી પાછા આવ્યા ત્યારે તેમણે ચંદનબાળા કે મુલાને ન જોયા. તેમણે નોકરોને પૂછ્યું ત્યારે નોકરોએ મુલા પિયર ગઈ છે એમ જણાવ્યું. પણ મુલાની બીકે ચંદનબાળા ક્યાં છે તે કહ્યું નહીં ચિંતાતુર વદને તેમણે નોકરોને વારંવાર પુછ્યા કર્યું, "મારી દીકરી ચંદનબાળા ક્યાં છે? મને તમે જે જાણતા હોવ તે સત્ય કહો.” છતાં કોઈએ એક શબ્દ સુધ્ધા ન કહ્યો. તેઓ ખુબ ખિન્ન થઇ ગયા અને શું કરવું તે વિચારવા લાગ્યા.એક ઘરડી નોકરબાઈ વિચારવા લાગી, “હું તો ઘરડી છું, લાંબુ જીવવાની નથી, મુલા કરી કરીને મને શું કરશે? બહુ તો મને મારી નાખશે.” આમ વિચારી ચંદનબાળા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને મૂલાએ ચંદનબાળા સાથે શું કર્યું અને અત્યારે ચંદનબાળા ક્યાં છે તે વિગતવાર કહ્યું.
તે શેઠને ચંદનબાળાને જ્યાં પુરી હતી ત્યાં લઈ ગઈ. ધનાવહે ભોયરાના તાળાં ખોલ્યા અને ચંદનબાળાને જોઈને તેમને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે ચંદનબાળા ને કહ્યું, “મારી વહાલી દિકરી, હું તને અહીંથી બહાર કાઢીશ, તું ખૂબ ભૂખી તરસી હોઈશ, પહેલા મને તારા માટે ખાવાનું લાવવા દે.” તેઓ રસોડામાં ગયા પણ ત્યાં કંઈ જ ખાવાનું ન હતું. એક વાસણમાં બાફેલા અડદ હતા. તે લાવીને ચંદનબાળા ને ખાવા આપ્યા. તેની બેડીઓ તોડાવવા માટે તેઓ લુહારને બોલાવવા ગયા.
ચંદનબાળા વિચારવા લાગી કે તેનું જીવન કેવું બદલાઈ ગયું છે. ભાગ્ય માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે? ક્યાં હું સુખી ઘરની રાજકુમારી અને ક્યાં મારી આ અસહાય દશા? તેણે કોઈ સાધુ કે સાધ્વીને પોતાને મળેલ ભોજનમાંથી કંઈક વ્હોરાવ્યા બાદ જ પોતે ખાશે તે વિચાર્યું. તે ઉઠી, બારણા પાસે ગઈ અને એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉબરાની અંદર રાખીને બેઠી. તેના આશ્ચર્ય વચ્ચે ભગવાન મહાવીર સ્વામીને તેની તરફ આવતા જોયા. તેમને જોતાં જ ચંદનબાળા ભાવવિભોર થઇ અને તેની આંખમાં આંસુ આવી ગયાં. આંખમાં આંસુ સાથે તેણે કહ્યું, “હે પૂજ્ય ગુરુવર્ય, મારા આ બાકુડા સ્વીકારો. "ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો હતો. તે અભિગ્રહ પ્રમાણેની વ્યક્તિ પાસેથી જ ગોચરી વહોરી શકે. તેમનો અભિગ્રહ હતો કે, ખોરાક વહોરાવનાર રાજકુંવરી હોવી જોઈએ, તેને માથે મુંડન હોવું જોઈએ, તેના પગમાં બેડીઓ હોવી જોઈએ, એક
Page 228 of 307