________________
Compodium of Jainism - Part (II)
પૂછ્યો. નટે જણાવ્યું કે અમારી જાતિમાં છોકરો રાજાને પોતાની નટને લગતી અવનવી કળાથી પ્રસન્ન કરે અને રાજા પ્રસન્ન થઈ એને ઇનામ આપે તો જ અમે તેને અમારી દીકરી પરણાવી શકીએ. અને ઈનામના પૈસાથી અમે નાત જમાડીએ. ધનદત્ત નિરાશ થઈ ગયા કારણ કે પોતાનો દીકરો એવી કોઈ કળા જાણતો જ નથી. ધનદત્તે પત્નીને બધી વિગતવાર વાત કરી. તેમણે દીકરાને સમજાવ્યું કે પારંગત નટ જ એ છોકરીને પરણી શકે માટે તું એને ભૂલી જા.
ઈલાચી કુમાર ઉપરથી શાંત હતો પણ તેના મગજમાં તો વિચારોના ઘોડા દોડતા હતા. એ છોકરી વિના પોતે સુખી નહીં થઈ શકે માટે જે ભોગ આપવો પડે તે આપવા એ તૈયાર થયો. તેના મૌનનો માતા-પિતાએ ખોટો અર્થ ઘટાવ્યો. મને લાગ્યું કે સમય જતા ભૂલી જશે. તેઓ તેનું મન બીજે વાળવા પ્રયત્ન કરવા લાગ્યા. ઈલાચી કુમારે ઉપર ઉપરથી તેમને સહકાર આપતો હોય તેવો દેખાવ કર્યો પણ મનથી તે મક્કમ હતો. નટની મંડળી એ જ્યારે ઈલાવર્ધન છોડીને જવાનું નક્કી કર્યું ત્યારે ઈલાચી કુમારે માતા-પિતાથી છાનામાના ઘર છોડી દીધું અને નટની ટુકડીમાં ભળી ગયો.
એણે નટનો પહેરવેશ અપનાવી લીધો. નટવિદ્યા શીખવાની શરૂ કરી. નટની છોકરી પણ ઈલાચી કુમારના પ્રેમમાં ગળાડૂબ હતી તેથી તે પણ ઈલાચી કુમારને મદદ કરવા લાગી. અંતે તે કુશળ નટ બની ગયો. જ્યારે તેઓ બેનાતટ નગરમાં ગયા ત્યારે ઈલાચી કુમારે છોકરીના પિતાને કહ્યું કે મને તમારા રાજા પાસે હાજર કરો. હું મારી કળાથી તેમને ખુશ કરીશ. નટના નાયકે રાજાને વિનંતિ કરી કે યુવાન નટના ખેલ જોઇને તેને યોગ ઈનામ આપો.
રાજાએ કબૂલ કર્યું અને યોગ્ય સમયે આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. તેમને નમસ્કાર કરી ઈલાચી કુમાર દોરડા પર ચડી કૂદકા મારતો નૃત્ય કરતો સિફતથી સરકી રહ્યો હતો. જોખમી ખેલ દ્વારા પ્રેક્ષકોનું મન જીતી લીધું. છતાથી કુમારને લાગ્યું કે તેણે યોગ્ય મહેનત મા પોતાની કળા સારી રીતે રજૂ કરી છે. નીચે ઉતરી રાજાને નમસ્કાર કરી યોગ્ય ઇનામની જાહેરાત કરવા વિનંતી કરી.
આ સમય દરમિયાન રાજાનું ધ્યાન ઇલાચી કુમારના જોખમી ખેલ કરતા તે સુંદર છોકરી તરફ વધારે હતું. તે ઈલાચી કુમારને પ્રેમથી પ્રોત્સાહન આપ્યાં કરતી હતી. નટના નાયકે રાજાને ઇલાચી કુમારની કલાથી આનંદ આવ્યો કે કેમ તે પૂછ્યું? રાજાએ ઢોંગ કરી ખોટું ખોટું કહ્યું કે રાજ્યના અનેક પ્રશ્નોમાં મારું મન એટલું વ્યગ્ર હતું કે મેં બરાબર ખેલ જોયો જ નથી. તેણે ઈલાચી કુમારને ફરીવાર ખેલ કરવા જણાવ્યું. ઈલાચી કુમારે ફરીવાર બમણા ઉત્સાહથી અવનવા ખેલ કરી રાજાને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યા. ફરિવાર પણ રાજાએ ખોટું બહાનું કાઢી ફરી ખેલ કરવા કહ્યું . ઈલાચી કુમારને ગળે રાજાની વાત ન ઊતરી. તેને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, છતાં તે સુંદર છોકરીને પામવા ફરી પોતાનો ખેલ બતાવવા તૈયાર થયો.
Page 216 of 307