SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા. કર્મ વિશે તેઓ કંઈ પણ માનવા તૈયાર જ ન હતા. તેથી મયણાસુંદરીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેના માણસોને તદ્દન કદરૂપા ગરીબ માણસ શોધી લાવવાનું કહ્યું. માણસો કોઢિયા ઉંમરરાણાને લઈ આવ્યા અને રાજાએ વિચર્યા વગર જ મયણાસુંદરીને તેની સાથે પરણાવી દીધી. જરૂરી સાધનસામગ્રીથી સજ્જ નાનું સરખું ઘર આપી મયણાને કર્મના સહારે મોકલી દીધી. તેની માતા રૂપસુંદરી રાજાના નિર્ણયથી ખુબ દુખી થયા. બીજી બાજુ સુરસુંદરીને શંખપુરીના રાજકુંવર અરીદમન સાથે પરણાવી મયણા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિની હતી. ઉંમરરાણાના વેશમાં રહેલા શ્રીપાલને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો અને તેની સેવા કરવા લાગી. પતિ સાથે તે દેરાસરમાં ભક્તિ કરતી તથા સાધુના મુખેથી પવિત્ર ઉપદેશ સાંભળતી. એક દિવસ મયણા અને તેનો પતિ વિદ્વાન આચાર્ય મુનીચંદ્રને વંદન કરવા ગયા, અને પોતાના પ્રશ્નો તથા પતિના કોઢની પૃચ્છા કરી. તેમણે નવપદની આયંબિલની ઓળીની આરાધના કરવા કહ્યું. સાડા ચાર વર્ષ એટલે કે નવ ઓળી કરવી પડે. ઓળીના નવ દિવસ હોય છે અને તે સમય દરમિયાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ( પંચ પરમેષ્ઠી) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ નવપદની આરાધના કરવી પડે. આયંબિલ એટલે દિવસમાં એક જ વાર એકદમ સાદું, મરી મસાલા, ઘી, તેલ, દૂધ, મીઠા વગેરેનો ત્યાગ કરી લૂખું જમવાનું. વર્ષમાં ચૈત્ર અને આસો એમ બે વાર ઓળી આવે. મયણા અને શ્રીપાલે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઓળીનું તપ શરૂ કર્યું. ઓળીમાં સળંગ નવ દિવસ સુધી એક ટાઈમ લુખ્ખો આહાર લેવાનું પરિણામ આશ્ચર્ય પમાડે તેવું હતું, શ્રીપાદતની ચામડી પરથી ડાઘા ધીમે ધીમે જતા રહેવા લાગ્યા. એમ કરતા પહેલા જેવી કાંતિમય ચામડી થઈ ગઈ. ચામડી પરના સમગ્ર ડાઘા જતાં રહ્યા. હવે તે રાજકુમાર જેવો સુંદર દેખાતો હતો. મયણા પોતાના કર્મને ધન્યવાદ આપવા લાગી. નવપદની ઓળી નવ વાર થઈ જવા છતાં તેઓએ ચાલુ જ રાખી. એકવાર તેઓ દેરાસરમાં હતા ત્યાં મયણાની માતા રૂપસુંદરી તેમને અચાનક મળ્યા. મયણાને કોઈ કોઢીયાને બદલે સુંદર રાજકુમાર સાથે જોઈને તેમને ધ્રાસકો પડ્યો. મયણાએ વિગતવાર બધી વાત કહી. રૂપસુંદરી વાત જાણી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે જઈને રાજાને વાત કરી કે મયણાની કર્મ વિશેની વાતો સાચી ઠરી છે. રાજાએ પણ સત્ય જોયું. મનમાં ને મનમાં પોતાની જાતને ધિકકરવા લાગ્યા કે મેં મારી લાડકી દીકરીને દુઃખી કરી. હવે તેમણે દીકરી-જમાઇને પોતાના ઘેર આવવા તેડું મોકલ્યું. શ્રીપાલ વાસ્તવમાં કોણ છે તેની બધાને જાણ થઈ. નસીબજોગે શ્રીપાલની માતા પણ મહેલમાં આવીને સાથે રહેવા લાગ્યા. એકવાર રાજાની સવારી નીકળી હતી તે સમયે શ્રીપાલ પ્રજાપાલ રાજા સાથે હાથી પર બેઠો હતો. કોઈએ શ્રીપાલ તરફ હાથ કરીને તે રાજાનો શું સગો છે તેમ પૂછ્યું. તે રાજાનો જમાઈ છે એવો જવાબ મળ્યો જે શ્રીપાલે સાંભળ્યું. સસરાના નામથી ઓળખાવું શ્રીપાલને ગમ્યું નહીં. હું Page 212 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy