SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) મારી જાતે મારી ઓળખ ઉભી કરું અને સૌની પરવાનગી લઈને તે નીકળી પડ્યો. ચારે બાજુ ઘણા સ્થળોની મુલાકાત લીધી. ગમે તેવી અગવડો વચ્ચે પણ નવપદની આરાઘના ભૂલ્યો નહોતો. એ સમયના રિવાજ મુજબ પોતાના બુદ્ધિ બળે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી. ઘણા તેના વિચારોને અનુસર્યા- અનુયાયીઓ બન્યા. પાછા ફરીને ઉજ્જૈનની બહાર પડાવ નાખ્યો. સૈન્ય વિશાળ હોવાને લીધે જાણે આખા શહેરને ઘેરો ઘાલ્યો હોય તેવું લાગ્યું. રાજા પ્રજાપાલે વિચાર્યું કે કોઈ દુશ્મન ચડી આવ્યો છે. પણ જ્યારે જાણ્યું કે તે પોતાના જમાઈ છે ત્યારે તેને મળવા તંબુમાં ગયા. કોઈ મહાન સન્માન સાથે ગામમાં પ્રવેશ્યા. તેમને જોઈને તેમની માતા તથા મયણાં ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. શ્રીપાલે પોતાની અતિ પ્રિય પત્ની મયણાં સાથે લાંબો સમય વિતાવ્યો. હવે તેમણે પોતાનું અસલ રાજ્ય ચંપા નગર પાછું મેળવવાનો વિચાર કર્યો. એમણે કાકા અજીતસેનને રાજ્ય પાછું આપી દેવાનો સંદેશો મોકલ્યો. અજીતસેને રાજ્ય પાછું આપવાની ના પાડી. શ્રીપાલે પોતાના વિશાળ સૈન્યની મદદથી અજીતસેનને બંદીવાન બનાવી ચંપા નગર પર વિજય મેળવ્યો. અજીતસેનને માફ કર્યો. અજીતસેન સમજી ગયા કે પોતાના દિવસો ભરાઈ ગયા છે. તેમણે સંસાર છોડવાનો નિર્ણય કર્યો. ચંપા નગરનો રાજા બનીને શ્રીપાલ એ પોતાનો રાજ વહીવટ સરસ રીતે ચલાવ્યો. શ્રીપાલ રાજા અને મયણાસુંદરીએ જીવનભર નવપદજીની આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું બોધ : મયણાસુંદરીની આ વાર્તા કર્મવાદમાં શ્રદ્ધા અને નવપદ પ્રત્યેના ભક્તિભાવની છે. પોતાનું ભાગ્ય બદલવાના તેના પ્રયત્નોનું મહત્વ બતાવવામાં આવ્યું છે. મયણા કર્મના સ્વભાવને જાણતી હતી. પોતે પોતાના ભાગ્યથી સંતુષ્ટ ન હતી. તે અને તેનો પતિ પ્રાર્થના અને પ્રયત્નોથી પોતાની પરિસ્થિતિ બદલવા તનતોડ મહેનત કરવા લાગ્યા. અંતે તેઓને સફળતા મળી. કર્મ એજ તેમને વર્તમાન પરિસ્થિતિમાં મુક્યા હતા તે તેમણે સ્વીકારી લીધું હતું. તેઓ જાણતા હતા કે જો તેઓ સારા કર્મો પ્રાપ્ત કરે અને ખરાબ કર્મોનો નાશ કરે તો તેઓ પોતાનું ભાવિ બદલી શકે. સુખ અથવા દુખ એ મનની સ્થિતિ છે. તમે જો દુઃખી છું એવું વિચારો તો તમારી જાતને દુઃખી જ જુઓ. કર્મની સત્તામાં પૂરેપૂરો વિશ્વાસ રાખી સુખ અને સંતોષ મેળવવા જરૂરી છે. Page 213 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy