SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) અંતે વૃદ્ધ સાધુને લઈને નંદિષેણ ઉપાશ્રય આવી ગયા. આખા રસ્તે વૃદ્ધ સાધુએ જોયું કે ગમે તેટલા અપમાનિત કરવા છતાં નંદિષણ ખૂબ જ સમતામાં રહ્યા. વૃદ્ધ સાધુએ પોતાનું અસલ રૂપ ધારણ કર્યું અને નંદિષણને નમી પડ્યા અને કહ્યું, “ખરેખર, તમે સાચા સાધુના ઉદાહરણરૂપ છો. ઇન્દ્રએ તમારી પ્રશંસા કરી હતી તેને માટે તમે યોગ્ય જ હતા. હું પણ ખૂબ જ પ્રસન્ન છું. તમે જે માંગશો તે સર્વ તમે પ્રાપ્ત કરી શકશો.” “અરે દેવ, આ માનવ અવતાર ઘણો કીંમતી છે. માનવ અસ્તિત્વથી કીમતી બીજું કાંઈ નથી. મને જે મળ્યું છે તેનાથી સંતોષ છે. મારી કોઈ ઈચ્છા નથી.” દેવ નંદિષણના પગમાં પડી ગયા અને પોતાના સ્થાને પાછા વળી ગયા. બોધ: આ વાર્તા શીખવી છે કે સહનશક્તિ, શિસ્ત અને સંતોષ એ જૈન ધર્મના પાયાના મૂલ્યો છે. પહેલી અને અતિ મહત્વની વાત એ હતી કે સંત નંદિષેણે પોતાની જિંદગી સાધુની સેવા કરવા માટે સમર્પી દીધી. આ ઉત્તમ કાર્ય વધારેમાં વધારે ત્યાગ અને શિસ્ત માંગે છે. નંદિષણની સહનશીલતાની કસોટી ગંધર્વ કરી રહ્યા છે તે જાણ્યા વિના તેઓ સૌની સેવા કરતા એ મહત્વનો મુદ્દો છે. એનો અર્થ એ છે કે તેઓ સાધુઓની સેવામાં સંપૂર્ણ સમર્પિત હતા. પોતે જે કરતા હતા તેમાં અતૂટ શ્રદ્ધા હતી. જ્યારે ગંધર્વોએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે પણ તેમણે પોતાના જીવનમાં પૂર્ણ સંતોષ છે તે બતાવ્યું. આમાં પણ તેમનો અપરિગ્રહનો સિદ્ધાંત સૂચક બને छे Page 210 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy