________________
Compodium of Jainism - Part (II)
મ.૩ સાધુ નદીષેણ
સાધુ નંદિષેણ મહાન જ્ઞાની અને સેવાભાવી સાધુ હતા. એમના સેવાભાવની સ્વર્ગમાં પણ પ્રશંસા થતી. એક દિવસ ઇન્દ્રએ પોતાની સભામાં પોતાના દેવો સમક્ષ નંદિષણની પ્રશંસા કરી. ઈન્દ્ર દ્વારા કરાયેલી નંદિષણની પ્રશંસાથી શંકાશીલ બનેા બે દેવોએ મંદિષણની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. દૈવી શક્તિને કારણે દેવો ગમે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકતા અને ક્ષણમાં ગમે ત્યાં પહોંચી શકતા. બે દેવો,એક ઘરડા અને યુવાન સાધુનું રૂપ લઈને નંદિષણ જે ગામની બહારની વાડીમાં હતા ત્યાં આવી પહોંચ્યા.
આજે નંદિષણને ઉપવાસનું પારણું હતું. હમણાં જ ગોચરી લઈને આવ્યા હતા અને પારણું કરવા બેસતા હતા. નંદિષણ ને જોતા જ વૃદ્ધ સાધુ તાડૂકી ઉઠયા, “ઓ,મહાનાલાયક હું અહીં પિડાઈ રહ્યો છું અને તું મારી કોઈ દરકાર જ નથી કરતો?"
નંદિષેણ સહનશીલ અને ક્ષમાવંત હોવાથી સાધુના ગુસ્સાનો કોઈ જવાબ ન આપ્યો. ખુબ જ શાંતિથી કહ્યું, “ગુરુવર્ય, મને માફ કરો, હું આપના માટે પાણી લાવ્યો છું."
નંદિષેણે વૃદ્ધ સાધુને પાણી પાયું. તેમનું મોઢું, કપડા વગેરે સાફ કર્યા અને બેસવા માટે મદદ કરી. વળી પાછા વૃદ્ધ સાધુ ગુસ્સે થયા, “હું અશક્ત છું મારાથી બેસાતું નથી અને તું મને બેસાડે
*
નંદિષેણે કહ્યું, “હું આપને બેસવામાં મદદ કરીશ. ચિંતા ન કરશો. આપ ઈચ્છો તો હું આપને વધુ સગવડ લાગે તે માટે ઉપાશ્રયમાં લઈ જાઉં.
સાધુએ જવાબ આપ્યો, “મને પૂછવાની શી જરૂર? તને ઠીક લાગે તો મને લઈ જા.”
સાધુ નંદિષેણે સાચવીને વૃદ્ધ સાધુને પોતાના ખભા પર બેસાડીને ધ્યાનપૂર્વક સંભાળીને પગલાં ભરતાં ઉપાશ્રય તરફ લઇ જવાનું શરૂ કર્યું. વૃદ્ધ સાધુ નંદિષેણની વધુ પરીક્ષા કરવા ઇચ્છતા હતા. તેથી તેમણે પોતાનું વજન ધીમે ધીમે વધારવા માંડ્યું. વજન વધવાને કારણે નંદિષેણ થાકી જવા લાગ્યા અને પડવા જેવા થઈ જતા. તેથી વૃદ્ધ સાધુએ ગુસ્સે થઇને કહ્યું, "શું થયું છે તને? જોઈને સંભાળપૂર્વક ચલાતું નથી? મારું આખું શરીર હલાવી નાખે છે. માંદા માણસને આવી રીતે લઈ જવાય?” સાધુના કડવા અને ગુસ્સા ભર્યા શબ્દો સાંભળવા જતા નંદિષણ ખૂબ જ સ્વસ્થ રહ્યા અને કહ્યું, “માફ કરો, હવે હું ખૂબ જ ધ્યાન રાખીશ."
સાધુની ખોટી ખોટી ટીકાઓ સાંભળવા છતાં નંદિષણ ખૂબ જ કાળજીથી ચાલવા લાગ્યા અને સાધુને કેવી રીતે સારા કરવા તે વિચારવા લાગ્યા.
Page 209 of 307