________________
Compodium of Jainism – Part (II)
જેવું ધ્યાન શરૂ કર્યું કે કબૂતર અને બાજ તેમના અસલ દેવ સ્વરૂપમાં પ્રગટ થયા. બંને જણા રાજાને નમી પડ્યા અને કહ્યું, “ હે મહાન રાજવી, ઇન્દ્રએ તમારા જે વખાણ કર્યા હતા તે યથાર્થ જ હતા. અમે કાન પકડી કબૂલ કરીએ છીએ કે તમે મહાન દયાળુ રાજા છો.” ફરી ફરી રાજાની પ્રશંસા કરતા રાજાને પ્રણામ કરીને ચાલ્યા ગયા. આખો દરબાર આનંદિત થઈ ગયો અને ઘોષણા કરવા લાગ્યો, રાજા મેઘરથ ઘણું જીવો" આ રાજા મેઘરથનો જીવ ત્રીજા ભવમાં સોળમા તીર્થંકર શાંતિનાથ બન્યા.
#
બોધ: આ વાર્તા શીખવે છે કે કમનસીબ દુ:ખી લોકોનું રક્ષણ કરવાની આપણી મુખ્ય ફરજ છે. કોઈનું દુઃખ દર્દ જોઈને આપણને દયા આવે એટલું જ નહીં પણ તેની પીડા ઓછી કરવાના પ્રયત્ન કરીએ તોજ સાચા દયાળુ કહેવાઈએ. સાચો દયાળુ ગરીબોને આર્થિક સહાય કરે અને ભૂખ્યા તથા જરૂરીયાત વાળાને ખાવાનું આપે. દયાળુ માણસ પોતાની જિંદગી બચાવવા બીજાને નુકસાન ન કરે, પરંતુ બીજાને જીવન માટે પોતાની જિંદગીનો ભોગ આપે.
Page 208 of 307
BATEIN Avy
ગીર સો