SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) અગ્નિપરીક્ષા જેવું હતું અને ખરેખર તેમના પરિવારે તરત જ તેમનો વિરોધ કર્યો. તેમના પિતાએ કહ્યું કે, "તે બ્રાહ્મણ પંડિત બનવા માટે આટલા પ્રયત્નો કર્યા છે હવે તારે એ કેમ છોડી દેવું છે?" તેમના બીજા સગા-વ્હાલા કે જે તેમની ખ્યાતિથી ખુબ ખુશ હતા તેમણે કહ્યું, "આખા દેશમાં તને ચર્ચામાં કોઈ જીતી શકતું નથી. હવે તું શુ બનીશ?" પરંતુ હરિભદ્રએ પોતાનો પ્રતિકાર ચાલુ રાખ્યો. તેમણે સમજાવ્યું કે જૈન ધર્મનો વિસ્તૃત અભ્યાસ કર્યા વિના તેમનું જ્ઞાન અધૂરું રહેશે. આ હેતુથી અને પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા પણ તેમના માટે જૈન સાધુ બનવું અનિવાર્ય છે. છેવટે પરિવારજનોની મંજૂરી લેવામાં તે સફળ રહ્યા. તેમણે સંસાર છોડી દીધો અને આચાર્ય જિનભદ્રસૂરિના શિષ્ય બન્યા. તેઓએ જૈન શાસ્ત્રો અને બીજા પવિત્ર પુસ્તકોનો ખંતથી અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિમત્તા અને દ્રષ્ટિકોણના સમન્વયથી તેઓએ ખુબ જ ઓછા સમયમાં જૈન શાસ્ત્રોમાં પ્રાવીણ્ય મેળવી લીધું. જૈન આગમોની મદદથી તેઓ સત્યની શોધ માટે જૈન તત્વજ્ઞાનના ઊંડાણને સમજ્યા. જયારે તેમણે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો અને જયારે તેમના ગુરુ જિનભટ્ટસૂરિને તેમની શ્રદ્ધા પર પાક્કો વિશ્વાસ બેસી ગયો ત્યારે તેમણે હરિને ખાચાર્યની પદવી આપી. એક જૈન આચાર્ય તરીકે તેમણે જૈન સંઘની જવાબદારીઓ ખુબ જ સારી ક્ષમતાથી અને અસરકારક રીતે નિભાવી. તેમની બુદ્ધિમત્તા અને જ્ઞાનની મદદથી તેમણે ઘણા લોકોને જૈન ધર્મ તરફ આકર્ષિત કર્યા. તેમાંથી ઘણા સંસાર છોડીને તેમના શિષ્ય બન્યા. તેમની આગેવાની હેઠળ જૈનધર્મે લોકપ્રિયતાના નવા શિખરો સર કર્યા. તેમના ઘણા શિષ્યો વચ્ચે બે શિષ્યો હતા: હંસ અને પરમહંસ જેઓ તેમની બહેનના પુત્રો હતા. તેઓ ખુબ જ તેજસ્વી હતા અને હરિભદ્રસૂરિને તેમનાથી ઘણી આશાઓ હતી. એક વખત હંસ અને પરમહંસે આચાર્ય હરિભદ્રસૂરિ પાસે એક જાણીતા બૌદ્ધ મઠમાં જઈ ને તેમની ખામીઓને સમજવા માટેની પરવાનગી માંગી. જેથી તેઓ બૌદ્ધ સાધુઓને ચર્ચામાં હરાવી શકે. શરૂઆતમાં હરિભદ્રસૂરિ એ મંજૂરી ન આપી પરંતુ તેમના વારંવાર આગ્રહ કરવાના લીધે તેમને મંજૂરી આપવી પડી. તેઓ બૌદ્ધ સાધુના વેશમાં મઠમાં ગયા પરંતુ તેમનું આ રહસ્ય લાંબા સમય સુધી છૂપું ન રહી શક્યું. તેઓ એ વેશમાં જ મઠ છોડીને નીકળી ગયા પરંતુ બૌદ્ધ લોકો એ તેમનો પીછો કરીને તેમને પકડી પડ્યા અને છેવટે તેમને પોતાની જાનથી હાથ ધોવા પડ્યા. જયારે હરિભદ્રસૂરિને પોતાના ભત્રીજાઓના કરુણ અંત વિષે ખબર પડી ત્યારે તેમને ખુબ જ ગુસ્સો આવ્યો અને તેમણે બૌદ્ધ સાધુઓને તેમની ક્રૂરતા માટે પાઠ ભણાવાનું નક્કી કર્યું. તેમણે તેમને શાહી દરબારમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો અને શરત રાખી કે જે ચર્ચામાં હારશે તેને ફાંસીની સજા કરવામાં આવશે. હરિભદ્રસૂરિના તેમના ભત્રીજાઓના મૃત્યુ પર આવા હિંસક પ્રતિભાવ જોઈને જિનભટ્ટસૂરિ અને સાધ્વી મહત્તરાને દુઃખ થયું. હરિભદ્રસૂરિ મુકાબલો જીતી ગયા. નસીબજોગે Page 196 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy