________________
Compodium of Jainism – Part (II)
મહત્તરાએ તેમણે કોઈના મૃત્યુનો વિચાર મુલતવી રાખવા સમજાવી દીધા હતા. આ બનાવ પરથી હરિભદ્રસૂરિ સમજી ગયા કે હંસ અને પરમહંસના લગાવને કારણે તેઓ હિંસાભર્યું પગલું લેવા તૈયાર થઇ ગયા હતા. તેમણે જિનભટ્ટસૂરિને પ્રાયશ્ચિત આપવા માટે આજીજી કરી અને ગુરુ જિનભટ્ટસૂરિ એ તેમને એવી રચનાઓ લખવા પ્રેરણા આપી કે જે લોકોની શ્રદ્ધાને સાચા માર્ગ પર દોરી શકે. આ તેમના જીવનનો બીજો અગત્નો વળાંક બની રહ્યો.
હરિભદ્રસૂરિ અત્યંત પ્રભાવશાળી લેખક હતા. તેમણે જૈન ધર્મના જુદા જુદા વિષ્યો પર ૧૪૪૪ ગ્રંથો લખ્યા. સંજોગોવસાત તેમાંથી માત્ર ૧૭૦ ગ્રંથો જ આજની તારીખમાં સુલભ છે. દશવૈકાલિક સૂત્ર, તત્વાર્થ સૂત્ર, પંચસૂત્ર અને આવશ્યક સૂત્ર પરની ટીકાઓ તેમની ખુબ જ પ્રખ્યાત રચનાઓમાંથી છે. આ ઉપરાંત તેમણે લલિત-વિસ્તાર, ધર્મ સંગ્રહિણી, ઉપદેશપદ, શોડાષ્ટક, ધર્મ બિંદુ અને અનેકાંત જયપતાકા લખી છે. યોગ વિષે લખનાર કદાચ એ પ્રથમ જૈન વિદ્વાન હતા. યોગબિન્દુ, યોગ-વીંશીકા, યોગ-શતક અને યોગદૃષ્ટિ સમુચ્ચય આવી કેટલીક રચનાઓ છે. આવી રચનાઓના કારણે હરિભદ્રસૂરિને તેમના જૈન સાહિત્યના અમૂલ્ય યોગદાન માટે કાયમ યાદ કરવામાં આવશે.
બોધ: હરિભદ્રસૂરિનું આખું જીવન તેમના જ્ઞાન પ્રત્યેના ઊંડા રસની સાક્ષી પુરે છે. તે એક મહાન બ્રાહ્મણ પંડિત હોવા છતા એક સામાન્ય જૈન સાધ્વી પાસેથી શીખવા માટેની તેમનામાં સરળતા હતી. આ નમ્રતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. જ્ઞાન મેળવવા માટે અભિમાનને વચ્ચે આવા દેવું જોઈએ નહિ. જૈન આગમ જૈન સિદ્ધાંતોને સરળ અને તાર્કિક રીતે રજુ કરે છે. જૈન આગમોનો ગહન અભ્યાસ તમને જૈન સિદ્ધાંતોને વધારે દ્રઢતાથી અને શ્રદ્ધાપૂર્વક અનુસરવાની પ્રેરણા આપે છે. હરિભદ્રસૂરિની રચનાઓ ખુબ જ કિંમતી છે અને તે આપણને ખુબ જ જટિલ પરંતુ માળખાબદ્ધ અને તાર્કિક ધર્મને સારી રીતે સમજવા મદદ કરે છે.
Page 197 of 307