SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ વાતાવવાને Compodium of Jainism - Part (II) મ મા-જેતાબેન* "તમારું પેટ એ વાત ની સાક્ષી પુરે છે કે તમને મીઠાઈઓ ખાવી ખુબ ભાવે છે." જયારે હાથી જતો રહ્યો ત્યારે તેઓ સાચવીને મંદિરની બહાર નીકળ્યા અને રસ્તામાં એક સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થયા. તેમણે યાકીની મહત્તરાના મુખેથી નીચે મુજબનો શ્લોક સાંભળ્યો: ચક્કીના હરીપણાના પણાગામ કી આ દેશોં ચક્કી કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેશી યા ચક્કી યા મહત્તરા આ અવસર્પિણી કાળમાં ચક્રવર્તી અને વાસુદેવ કયા ક્રમમાં જન્મ્યા એ સમજાવતા હતા. જૈન તત્વજ્ઞાન એક પછી એક ચાલતા લાંબા કાળચક્રમાં માને છે. આ ચક્રનો અડધો ભાગ ઉત્સર્પિણી એટલે કે ચઢતો ક્રમ કહેવાય છે જ્યાં સતત સુધારા આવતા જાય છે અને બીજા અડધા ભાગને અવસર્પિણી એટલે કે ઉતરતો ક્રમ કહેવાય છે જ્યાં સતત ખરાબ પરિસ્થિતિ આવતી જાય છે. પરંપરાથી એવું પણ માનવામાં આવે છે કે દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીખો, હું વામદેવ કે નાસયણ હ પ્રનિવાસુદેવ કે પ્રતિનારાયણ વાસુદેવના કામનો અને ૯ બળદેવ થાય છે. એક વિદ્યાર્થી તરીકે હરિભદ્રએ જૈન તત્વજ્ઞાનનો થોડો ઘણો અભ્યાસ કર્યો હતો. જોકે તેમણે ગહન અભ્યાસ કર્યો ન હતો અને આથી મહત્તરા સાધ્વીજી જે બોલી રહ્યા હતા તે તેઓ સમજી ન શક્યા. હરિભદ્ર હારી ચુક્યા હતા. છેવટે એમને એક એવો વિષય મળ્યો જેમાં તેમનું પ્રભુત્વ ન હતું અને તેમાં વધારે જ્ઞાન મેળવવા સાધ્વી મહત્તરાના વિદ્યાર્થી બનવાની જરૂર હતી. હરિભદ્રમાં ભલે ઘમંડ હતો પરંતુ તે તેમના વચનના પાક્કા હતા. સહેજ પણ ખચકાયા વિના તે તરત જ સાધ્વી મહત્તરાની સામે આવ્યા. તેમણે પોતાની શરત વિષે સમજાવ્યું અને તેમને પોતાના શિષ્ય બનાવવા વિંનંતી કરી. મહત્તરા એ સમજાવ્યું કે જૈન સાધ્વી એક પુરુષને વિદ્યાર્થી તરીકે ન સ્વીકારી શકે. તેમણે હરિભદ્રને પોતાના ગુરુ જિનમસુરી પાસે જવાની સલાહ આપી. તેમણે કીધું કે તેઓ આ પંક્તિનો અર્થ સમજાવી શકશે અને હરિભદ્ર તેમના વિદ્યાર્થી પણ બની શકશે. તેમની સલાહ મુજબ હરિભદ્ર જિનભટ્ટસુરી પાસે ગયા જેમણે એ પંક્તિનો બરાબર અર્થ સમજાવ્યો. આચાર્ય પાસેથી એ પંક્તિની સમજ લીધા બાદ હરિભદ્ર ને જૈન ધર્મની વધારે સમજ લેવાની ઈચ્છા થઇ અને તેમણે આચાર્યને એમને શિષ્ય તરીકે સ્વીકારવાની વિનંતી કરી. જિનભટ્ટસુરીએ તેમનો શિષ્ય તરીકે સ્વીકાર કરવાની તો જ હા પડી જો તે તેમના પરિવાર અને નજીકના સગા- વ્હાલા પાસેથી પરવાનગી લઇને આવે. હરિભદ્ર જાણતા હતા કે જૈન ધર્મ શીખવાની મંજૂરી લેવું એ Page 195 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy