________________
Compodium of Jainism - Part (II)
ઉ.૪. આચાર્ય હરિભદ્રસૂરિ
છઠ્ઠી સદીમાં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ પંડિત હતા. તે દરેક ધર્મના તત્વજ્ઞાનમાં ખુબ જ વિદ્વાન અને નિપુણ હતા. તેમની ઘણી બધી પ્રતિભાઓમાંથી એક હતી કે તેમને હરીફની દલીલોનો પહેલેથી જ અંદાજ આવી જતો હતો. તે સમયમાં વિદ્વાનો માટે બીજા પ્રદેશમાં જઈને બીજાને ચર્ચામાં ઉતારીને પોતાના જ્ઞાનને વધારવાની પ્રથા સામાન્ય હતી. માટે હરિભદ્રએ પણ ઘણી જગ્યાએ સફર કરીને ઘણા વિદ્વાનો સાથે ચર્ચા કરી હતી. બીજા વિદ્વાનો તેમની સાથે દલીલમાં જીતી શકતા નહિ. તેઓ તેમની પ્રતિભાથી દરેક દલીલને જીતી લેતા હતા. થોડાક જ સમયમાં તેમની પ્રતિષ્ઠા ખુબ જ ફેલાઈ ગઈ અને વિદ્વાનો તેમની સાથે ચર્ચા કરવાનું ટાળવા લાગ્યા.
જયારે કોઈ તેમની સાથે ચર્ચા કરવા આગળ ન આવ્યું ત્યારે તેમણે માની લીધું કે આખા દેશમાં તેમનો કોઈ હરીફ નથી. કોઈ પણ વિષયમાં ચર્ચા કરવાની પોતાની આવડતમાં આત્મવિશ્વાસ હોવાને લીધે તેમણે જાહેરમાં પડકાર ફેંક્યો કે જો કોઈ પણ તેમને એવો વિષય કહે કે જે તે ન સમજી શકે તો તે તરત જ એ વ્યક્તિના શિષ્ય બની જશે.
એક વખત તેઓ એક ગામમાંથી પસાર થતા હતા ત્યારે સામે એક શાહી હાથી તેમની સામે આવ્યો. હાથી ખુબ જ ગુસ્સામાં હતો અને આથી કાબુ બહાર હતો. મહાવત તેને કાબુમાં લેવા ખુબ પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તે કાબુમાં આવતો જ ન હતો. તે હાથી હરિભદ્રની સામે જ ધસી આવતો હતો. હરિભદ્ર હાથીથી કચડાઈ જવાની બીકથી તેનાથી બચવા માટે આસપાસમાં સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા અને તેમણે એક જૈન મંદિર જોયું. મદોન્મત હાથીથી બચીને એકદમ સમયસર તેઓ જૈન મંદિરમાં પ્રવેશ્યા. તેઓ અંદર શ્વાસ ખાવા ઉભા રહ્યા અને પછી મંદિર પર અનાદરથી નજર નાખી. હરિભદ્રને જૈન ધર્મ પ્રત્યે બિલકુલ આદર ન હતો. તેમના આ પક્ષપાતના લીધે તેઓ જૈન તત્વજ્ઞાનથી સાવ અજાણ રહ્યા હતા. તે સમયમાં બ્રાહ્મણો કટ્ટર શિવભક્ત રહેતા અને જૈન ધર્મને માનની દ્રષ્ટિ એ જોતા નહિ.
તેઓ આસપાસ નજર કરતા હતા ત્યાં તેમણે પ્રભુ મહાવીરની આરસની પ્રતિમા તેમની સન્મુખ જોઈ. તીર્થંકરની આંખોમાંથી વરસતી કરુણા જોવાને બદલે હરિભદ્રની નજર તેમના પેટ પર ગઈ કે જે એક તપસ્વી સાધુના કૃશ પેટની સાક્ષી પૂરતું ન હતું. તેમણે એવું માન્યું કે જૈન તીર્થંકરો ચોક્કસ મીઠાઈઓનું સેવન કરતા હશે. માટે તેમણે આવી ટીકા રચી કે:
Page 194 of 307