SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) ♦ નિયમસાર (આચરણના નિયમો વિષેનો ગ્રંથ) • પંચાસ્તિકાય (પાંચ દ્રવ્યો વિષેનો ગ્રંથ) • અષ્ટ-પહુડા (આઠ પગલાં - આઠ લખાણોનો સમૂહ) તેમણે આ બધું કાર્ય પ્રાચીન અર્ધમાગધી પ્રાકૃતના જેવી શૌરસેની પ્રાકૃત નામે સ્થાનિક બોલીમાં લખ્યા છે. જૈન સિદ્ધાંતોના અમુક સંબંધો અને માળખાઓ જે આજના સમયમાં ખુબ આસાનીથી સમજી શકાય છે તે તેમના પ્રયત્નોનું ફળ છે. તેમનો આ વિચાર એટલો અસાધારણ હતો કે ત્યાર બાદ તેમના શિષ્યો અને બીજા વિદ્વાનો દ્વારા લખાયેલા અનેક પુસ્તકો અને ગ્રંથો માટે તેઓ જ મૂળ સ્તોત્ર હતા. દિગંબર પરંપરામાં મંગલાચરણમાં ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામી પછી તેમના જ યાદ કરવામાં આવે છે. દિગંબર પરંપરાના અમુક જૈનો પોતાને કુંદકુંદ અન્વય (કુંદકુંદ ના સંઘ) તરીકે ઓળખાવે છે. જોકે દરેક સમુદાયના વિદ્વાનો તેમના ગ્રંથોને ખુબ જ આદર સાથે ભણે છે. કુંદકુંદ આચાર્યને આ 'અંધારયુગનો પ્રકાશ' કહેવાય છે. સમયસારના ઘણા ભાષ્યોનું સંસ્કૃત અને બીજી આધુનિક ભાષાઓમાં ભાષાંતર થયેલું છે. આજના સમયમાં બનારસીદાસ, તરણસ્વામી, શ્રીમદ રાજચંદ્ર અને ગુરુદેવ શ્રી કાનજી સ્વામી જેવા ઘણા વિદ્વાનો અને નેતાઓ સમયસારથી પ્રભાવિત થયેલા છે. આચાર્ય જયસેન સમયસાર વિશેની પોતાની ટીકામાં લખે છે કે પોતાની આધ્યાત્મિક શક્તિની મદદ થી તેઓ પોતાના ઔદારિક શરીરનો ઉપયોગ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જતા અને સીમંધર સ્વામી ભગવાનની દેશના સાંભળીને જ્ઞાન મેળવતા. આજે દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં પોન્નુર મલાઈ નામે ટેકરી પર એક ચંપાના વૃક્ષની નીચે તેમની ચરણપાદુકાના દર્શન થાય છે. આ ચરણપાદુકા એક એવા ચિંતકનુ પ્રતીક છે કે જેમણે ૨૦૦૦ વર્ષ પહેલા જૈન ધર્મના સૌથી પ્રભાવશાળી ગ્રંથો લખ્યા. Page 193 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy