________________
Compodium of Jainism - Part (II)
ઉ.5 કુંદ આચાર્ય
મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણિ !
મલ કુંદકુંદો, જૈન ધમોનું જંગલ
ભગવાન મહાવીર શુભ છે; ગણધર ગૌતમ સ્વામી શુભ છે;
આચાર્ય કુંદકુંદ શુભ છે; જૈન ધર્મ શુભ છે.
કુંદકુંદ આચાર્ય જૈન ધર્મના ખુબ જ પ્રખ્યાત આચાર્યોમાંથી એક છે.
આચાર્ય ભદ્રબાહુના અનુગામી એવા આચાર્ય કુંદકુંદનો જન્મ ૧લી સદીની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશની કોન્ડા-કોન્ડા નામની જગ્યાએ થયો હતો. કુંદકુંદ "નંદી" સંઘ નામે એક પ્રાચીન સંઘના સભ્ય હતા કે જ્યાં બધા સાધુઓના નામમાં છેલ્લે "નંદી" એવો શબ્દ આવતો. દીક્ષા લીધા પછી તેમનું નામ પદ્મનંદી હતું, પરંતુ તેઓ પોતાના જન્મ સ્થળના નામ પરથી વધારે પ્રચલિત થયા. પુનિયા શ્રાવકની કથામાં કોશા કહે છે કે તેમના પૂર્વભવમાં કુંદકુંદ એક ગોવાળિયા હતા અને તેમણે પ્રાચીન પ્રતોને સાચવીને એક વિચારતા સાધુના આશીર્વાદ મેળવ્યા.
તેઓ ૧૧ વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા અને ૩૩ વર્ષની સાધના અને તપ બાદ ૪૪ વર્ષની વયે તેમને આચાર્યની પદવી આપવામાં આવી. તેઓ ૯૫ વર્ષ સુધી જીવ્યા અને તેમનું આચાર્ય પદ તેમના અનુયાયી ઉમાસ્વામી દિગંબર પરંપરા, ને આપ્યું. કુંદકુંદ આચાર્યના ઊંડા અભ્યાસ અને નૈતિક ચરિત્રએ રાજા શિવ કુમાર જેવા રાજશાહી શિષ્યોને પણ તેમની તરફ આકર્ષ્યા હતા. કુંદકુંદ આચાર્યની કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે - એવું કહેવાય છે કે તેઓ હવા પર ચાલી શકતા હતા. પરંતુ તેમનો પ્રભાવ જૈન ધર્મથી આગળ પણ ફેલાયેલો છે. પ્રાચીન ભારતમાં ધાર્મિક ચર્ચાઓએ બુદ્ધિમત્તા ભરી જીવન શૈલીનું એક અગત્યનું પાસું હતું. તેમાં કુંદકુંદ આચાર્યે જૈન શાસ્ત્રો રચીને સભાન અને બંધારણીય બદલાવ લાવ્યો. તેમણે શાબ્દિક માળખાઓનો ઉપયોગ કરીને વિજ્ઞાનના અદ્યતન સિદ્ધાંતો જેવા કે અણુનું બંધારણ, બ્રહ્માંડના પરિમાણો, બ્રહ્માંડની રચનાઓ અને મનોવિજ્ઞાન વિષે સમજાવ્યું. હિન્દુ અને બૌદ્ધ ચિંતકોને એમના જૈન આચાર અને તત્વજ્ઞાન સમજાવવા પડકાર ફેંકવામાં આવ્યો. આમ આચાર્ય કુંદકુંદ ભારતવર્ષમાં થતી ધાર્મિક ચર્ચાઓને વિદ્વત્તાના નવા શિખરો પર લઇ ગયા.
જૈન તત્વજ્ઞાનના ખુબ જ અઘરા વિષયોના મહાન આયોજક કુંદકુંદ આચાર્ય એ પાંચ પ્રખ્યાત પુસ્તકો લખી છે:
· સમયસાર (આત્માના સાચા સ્વભાવ વિષેનો ગ્રંથ)
• પ્રવચનસાર (પ્રવચન વિષેનો ગ્રંથ)
Page 192 of 307