SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) સંઘમાં સ્ફુલિભદ્ર માટે ખૂબ જ માન વધી ગયું. પછીના વર્ષોમાં મ્યુલિભદ્ર એ જૈન શાસ્ત્રો, તેમાં પણ મુખ્યત્વે ૧૨ અંગ ખાગમો અને ૧૪ પૂર્વાન સાચવવા માટે ખૂબ જ પાયાની ભૂમિકા ભજવી. જૈન ઇતિહાસ બતાવે છે કે આચાર્ય સંભુતિવિજયના અનુગામી આચાર્ય ભદ્રબાહુ એ છેલ્લા આચાર્ય હતા જેમને સંપૂર્ણ જૈન શાસ્ત્રોનું જ્ઞાન હતું. આચાર્ય સંભૂતિવિજય અને આચાર્ય ભદ્રબાહુ બંને આચાર્ય યશોભદ્રના શિષ્ય હતા. એ જમાનામાં ગુરુ મૌખિક રીતે શાસ્ત્રો શીખવાડતા અને શિષ્યો યાદ રાખતા, તે ક્યાંય લખવામાં આવતા ન હતા. ભદ્રબાહુના નેતૃત્વ નીચે સ્થૂલિભદ્ર એ ૧૨ માંથી ૧૧ અંગ આગમોનો અભ્યાસ કર્યો. જો કે લંબાયેલા દુષ્કાળે સ્ફુલિભદ્રને ૧૨મુ અંગ આગમ ભણતા રોક્યા કે જેમાં ૧૪ પૂર્વેનો સમાવેશ થતો હતો. દુષ્કાળના સમયે ભદ્રબાહુએ પોતાના ૧૨૦૦૦ શિષ્યો સાથે દક્ષિણમાં સ્થળાંતર કર્યું. જે લોકો પાટલીપુત્રમાં રોકાયા તે સાધુ સમાજના આગેવાન સ્ફુલિભદ્ર બન્યા. દુષ્કાળના લીધે સાધુઓને તેમના આચાર સરખી રીતે પાળવામાં મુશ્કેલી પાડવા લાગી. વધારામાં ઘણા સાધુઓની યાદશક્તિ નબળી પડી ગઈ અને ઘણા શાસ્ત્રો ભુલાઈ જવા લાગ્યા. આ દુષ્કાળ ૧૨ વર્ષ ચાલ્યો. દુષ્કાળ પછી સ્થૂલિભદ્રએ બધા જૈન શાસ્ત્રો વ્યવસ્થિત કરવા વિચાર્યું. સ્થૂલિભદ્રના નેતૃત્વ નીચે પાટલીપુત્રમાં એક સંમેલન રાખવામાં આવ્યું. આ સંમેલનમાં ૧૨ માંથી ૧૧ અંગ આગમોને યાદ કરવામાં આવ્યા અને લખવામાં આવ્યા. પરંતુ કોઈ પણ સાધુ ૧૨ મું અંગ આગમ કે તેના ૧૪ પૂર્વોને યાદ ન કરી શક્યું. ફક્ત આચાર્ય ભદ્રબાહુ પાસે જ આ જ્ઞાન હતું પરંતુ તેઓ હવે દક્ષિણ ભારત છોડીને નેપાળના પર્વતોમાં ચાલ્યા ગયા હતા અને ત્યાં ખાસ પ્રકારના તપ અને ધ્યાનમાં મગ્ન હતા. આથી જૈન સંઘે સ્થૂલિભદ્ર અને બીજા વિદ્વાન સાધુઓને ભદ્રબાહુ પાસે જઈ ને ૧૨મું આગમ અને ૧૪ પૂર્વે શીખવા માટે વિનંતી કરી. એક વખત સ્થતિશનની બહેનો કે જે જૈન સાધ્વીઓ હતી તેમણે મ્યુલિભદ્રને મળવા નેપાળ જવાનું નક્કી કર્યું. આ સમયે સ્થૂલિભદ્ર ૧૪ માંથી ૧૦ પૂર્વે શીખી ચુક્યા હતા. તેમને એવો વિચાર આવ્યો કે તેમને ૧૦ પૂર્વે અને ૧૨માં આગમના જ્ઞાનથી જે જાદુઈ શક્તિ પ્રાપ્ત થઇ છે તે બતાવીને પોતાની બહેનોને પ્રભાવિત કરશે. આથી તેમણે પોતાના શરીરને સિંહના સ્વરૂપમાં પરિવર્તિત કરી દીધું અને તેમના આવવાની રાહ જોવા લાગ્યા. જયારે તેમની બહેનોએ પ્રવેશ કર્યો ત્યારે તેમણે પોતાના ભાઈના બદલે એક સિંહને જોયો. પોતાના ભાઈને શું થયું હશે એ વિચારે ગભરાઈને તેઓ તરત જ ભદ્રબાહુ પાસે ગયા. આચાર્ય ભદ્રબાહુ સમજી ગયા કે શું થયું છે અને તેમની બહેનોને પાછા ગુફા તરફ જવા સમજાવ્યું. આ વખતે સ્ફુલિભદ્રએ પોતાનું સાચું સ્વરૂપ પાછું મેળવી લીધું હતું. તેમની બહેનો એમને જીવંત Page 189 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy