________________
Compodium of Jainism – Part (II)
પણ સ્થૂલિભદ્રની અનુયાયી બની ગયી અને સ્થૂલિભદ્ર આ અનુભવ પછી આધ્યાત્મિક રીતે વધુ મજબૂત થયા.
ચાતુર્માસ પૂરો થતા ચારેય સાધુઓ પાછા ફર્યા અને પોતપોતાના અનુભવો વર્ણવ્યા પહેલા ત્રણ સાધુઓએ પોતાની સફળતા વર્ણવી અને આચાર્યે તેમને અભિનંદન આપ્યા. જયારે સ્થૂલિભદ્રએ પોતાની સફળતાની વાત કરી ત્યારે આચાર્ય પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા અને એવું દુય કાર્ય પૂરું પાડવા માટે તેમના ખૂબ જ વખાણ કર્યા. બીજા સાધુઓને ઈર્ષા થઇ. સ્થૂલિભદ્રનું કાર્ય પોતાના કાર્ય કરતા આટલું વધારે પ્રશંસનીય કેવી રીતે હોઈ શકે? તેમણે તો ચાતુર્માસ ખૂબ જ શારીરિક તકલીફો વેઠી ને પસાર કર્યો હતો. જયારે સ્થૂલિભદ્ર તો આરામથી સુરક્ષા વચ્ચે રહ્યા હતા.
આચાર્યએ સમજાવ્યું કે એ બીજા કોઈના માટે પણ અશક્ય કાર્ય હતું. પ્રથમ સાધુ એ બડાઈ હાંકતા કહ્યું કે આવનારા ચાતુર્માસમાં તે એ કામ આસાનીથી કરી શકશે. આચાર્યએ એમને એવું ન કરવા સમજાવ્યા કેમ કે તેઓ એ જાણતા હતા કે આ કામ તેમની ક્ષમતાની બહાર છે. તે સાધુ પોતાની આધ્યાત્મિક ક્ષમતા સાબિત કરવા માંગતા હતા અને આચાર્ય પાસે વારંવાર માંગણી કરીને આવનારા ચાતુર્માસ માટે પરવાનગી લઇને રહ્યા.
આવતા વર્ષે ચાતુર્માસમાં એ સાધુ કોશાના ઘરે ગયા. કોશાની ચિત્રશાળામાં રહેલા ચિત્રો જ તેમને ઉત્તેજિત કરવા માટે પૂરતા હતા. જયારે તેમણે કોશાને સાક્ષાત જોઈ ત્યારે તેમનો રહ્યો સહ્યો સંયમ પણ ઓગળી ગયો. તેમણે કોશા પાસે તેના પ્રેમની ભીખ માંગી. સ્થૂલિભદ્રના પવિત્ર જીવન પરથી કોશા સાધુ જીવનની મહત્તા સમજી હતી.
કોશાએ સાધુને પાઠ ભણવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે જો તે નેપાળથી કે જે પાટલીપુત્રથી ૨૫૦ કી.મી. દૂર આવેલું હતું ત્યાંથી રત્નજડિત વસ્ત્ર લાવી આપે તો જ તે એમને પ્રેમ કરવા સહમત થશે. એ સાધુ કોશાથી એટલા આકર્ષિત થયા હતા કે તરત જ નેપાળ જવા રવાના થયા. તેઓ એ પણ ભૂલી ગયા કે ચાતુર્માસ દરમ્યાન સફર કરી ન શકાય. ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને તેઓ એ રત્નજડિત વસ્ત્ર ખરીદીને કોશાનો પ્રેમ મેળવવાના વિશ્વાસ સાથે પાટલીપુત્ર પાછા ફર્યા. કોશાએ તે વસ્ત્ર પર પોતાના પગ લૂછ્યા અને તેને કચરામાં ફેંકી દીધું.
તે સાધુ આશ્ચર્યચકિત થઇ ગયા. તેમણે કહ્યું, "કોશા તું પાગલ તો નથી થઇ ગઈને? આટલી મુશ્કેલીઓ વેઠીને લાવેલ મોંઘી ભેટને તે ફેંકી કેમ દીધી?” કોશા એ જવાબ આપ્યો, "તમે આટલી મહેનતથી મળેલા સાધુજીવનને કેમ ફેંકી દો છો?" તે વિનમ્ર સાધુને પોતાની મુર્ખામી સમજાઈ ગઈ અને તરત જ તેમણે આચાર્ય પાસે જઈને પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો. તે દિવસથી સમગ્ર
Page 188 of 307