________________
Compodium of Jainism – Part (II)
સ્થૂલિભદ્ર નવા જીવનમાં ખુબ ઝડપથી અનુકૂળ થઇ ગયા. યુવાનીમાં જે મહત્વાકાંક્ષાની અછત હતી તે પુખ્તાવસ્થામાં તેમનામાં ઉભરી આવી. વીતેલા વર્ષોની ખોટ ભરપાઈ કરવા માટે તેમણે પોતાની બધી શક્તિ આધ્યાત્મિક વિકાસમાં વાપરી નાખી. તેમણે ખુબ જ ખંતથી મેહનત કરી અને ટૂંક જ સમયમાં એમના ગુરુનો ભરોસો જીતી લીધો. તેમણે પોતાની વાસના અને ઇન્દ્રિયોના વિકાર પર સફળતાપૂર્વક કાબુ મેળવીને પોતાના અંતર શત્રુઓને જીતી લીધા. હવે તેમની શ્રદ્ધાની કસોટી કરવાનો સમય હતો.
ચોમાસુ આવવાની તૈયારી હતી. બધા સાધુઓએ વર્ષાઋતુ દરમ્યાન એક જ જગ્યાએ રોકાવાનું હોય છે. આ ઋતુ ભારતમાં લગભગ ૪ મહિના ચાલે છે. સ્થૂલિભદ્ર અને બીજા ૩ સાધુઓ જેમણે ખૂબ સમતા પ્રાપ્ત કરી હતી તેમણે ખૂબ જ પ્રતિકૂળ જગ્યા એ રોકાઈને પોતાની શ્રદ્ધાની કસોટી કરવી હતી. દરેકે પોતાના માટે ખૂબ જ પ્રતિકૂળ જગ્યાઓ નક્કી કરી. એકે સિંહની ગુફાના દ્વાર પાસે ચાતુર્માસ કરવાની પોતાના આચાર્ય પાસે પરવાનગી માંગી. બીજાને સાપના દર પાસે પોતાનો સમય પસાર કરવો હતો. ત્રીજાને કુવાની સપાટી પર ચાતુર્માસ પસાર કરવો હતો. આચાર્યને ખબર હતી કે તેઓ આ પ્રતિકૂળતાઓ સામે ટકી શકો આથી તેમણે પરવાનગી ખાપી સ્થૂલિભદ્રએ કોશાની ચિત્રશાળા પાસે ચાતુર્માસ પસાર કરવાની નમ્રતાપૂર્વક પરવાનગી માંગી. આચાર્યને ખબર હતી કે આ પરીક્ષા સ્થૂલિભદ્ર માટે અત્યંત કઠિન હતી પરંતુ તેમને સ્થૂલિભદ્રની દ્રઢતા પર પણ વિશ્વાસ હતો અને તેમને એ પણ ખબર હતી કે આ પરીક્ષામાં સફળ થયા વગર આધ્યાત્મિક વિકાસ કરવો અશક્ય હતો. આથી તેમણે સ્થૂલિભદ્રને કોશાના ઘરે ચાતુર્માસ કરવાની પરવાનગી આપી.
સ્થૂલિભદ્ર કોશાના ઘરે ગયા અને તેની પાસે એની ચિત્રશાળામાં ચાતુર્માસ પસાર કરવાની પરવાનગી માંગી. કોશાને તેમને જોઈને ખૂબ આશ્ચર્ય થયું. સ્થૂલિભદ્ર કોશાને એવી અસમંજસ ભરી પરિસ્થિતિમાં છોડીને ચાલ્યા ગયા હતા કે કોશાએ કદી વિચાર્યું ન હતું કે એ તેમને જોઈ શકશે. ગમે તે હોય કોશા એમને ખૂબ જ યાદ કરતી હતી અને એ તેમને જોઈ ને ખૂબ જ ખુશ થઇ. જો કે એને તેમનો પાછા ફરવાનો સાચો આશય ખબર ન હતી. એ ચાતુર્માસમાં તે બંનેના અલગ અલગ ધ્યેય રહ્યા.
કોશા પોતાની બધી આવડતોનો ઉપયોગ કરીને તેમને પોતાના જીવનમાં પાછા લાવવાની કામના કરતી રહી. તેને લાગ્યું કે સાક્ષાત સ્થૂલિભદ્રનું તેની ચિત્રશાળામાં હોવું એ તેના માટે ફાયદાજનક છે. એનાથી ઉલટું સ્થૂલિભદ્રનું ધ્યેય કોશાના તીવ્ર આકર્ષણમાંથી બહાર આવવાનું હતું. કોણ જીતશે? સ્થૂલિભદ્રની મજબૂત શ્રદ્ધા અને દ્રઢતા આ કસોટી દરમ્યાન તેમની સાથે રહી. એમણે એમના ચિત્તને અધ્યાત્મિક ધ્યાનમાં, વસ્તુઓના ક્ષણિક સ્વભાવ ઉપર અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવા ઉપર કેન્દ્રિત કર્યું. છેવટે કોશાને પોતાની જિંદગી નકામી જતી લાગી અને તે
Page 187 of 307