________________
Compodium of Jainism – Part (II)
શકતાલને રાજાની શંકા વિષે ખબર હતી આથી તેને પોતાના નાના પુત્રના ભવિષ્ય અંગે ચિંતા થઇ. આથી તેમણે શ્રીયકની રાજા પ્રત્યેની વફાદારી સાબિત કરવા પોતાના જીવનનું બલિદાન આપવા વિચાર કર્યો. તેમણે શ્રીયકને રાજા અને બીજા મંત્રીઓની હાજરીમાં પોતાનું ખૂન કરવા સમજાવ્યું.
તેમણે શ્રીયકને સમજાવ્યું કે તે પોતાને રાજા સામે મારે તે પેહલા એ પોતે ઝેર ખાઈ લેશે આથી પોતાના પિતાના મૃત્યુ માટે તે (ધાર્મિક કે નૈતિક) રીતે જવાબદાર રહેશે નહિ. પરંતુ રાજાને લાગશે કે શ્રીયક તેમને ખુબ જ વફાદાર છે કેમ કે તેણે મારા માટે પોતાના જ પિતાનું ખૂન કર્યું. આમ કાકાતનું પોતાના પુત્રની વફાદારી બિન કરવા તેના હાથે જ મૃત્યુ થયું.
જયારે સ્થૂલિભદ્રએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમને આઘાત લાગ્યો. તે ૧૨ વર્ષથી કોશા સાથે રહેતા હતા. આ સમય દરમ્યાન તેમણે બીજા કોઈની કાળજી લીધી ન હતી. તેમના પિતાના મૃત્યુએ એમની આંખો ખોલી નાખી અને તેમણે પોતાના ભૂતકાળ વિષે વિચાર્યું., "મારી યુવાવયના ૧૨ લાંબા વારસો ! મેં આ ૧૨ વર્ષોમાં શું કર્યું?"
સ્યુલિભદ્ર એ વિચાર્યું કે તેમણે પોતાની યુવાનીમાં એવું કઈ નથી કર્યું કે જે મારી સાથે રહે. તેમના પિતાના કરુણ મૃત્યુએ તેમને એ વાસ્તવિકતા સમજાવી કે દરેકના જીવનનો અંતતો આવે જ છે. "એવો કોઈ ઉપાય નથી કે જેથી મૃત્યુને નિવારી શકાય?" એમણે પોતાની જાતને પૂછ્યું. "જિંદગીનું સ્વરૂપ શું છે? હું કોણ છું અને મારા જીવનનો ધ્યેય શું છેત્ર"
આ વિચારોમાં ઊંડા ઉતરીને એમણે સમજાયું કે આ શરીર અને બીજા દુન્યવી સુખો કાયમી નથી. આ ભૌતિક સુખો કાયમી આનંદ આપી શકતા નથી. તેમણે પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોયું અને એમાં તેમના ચેહરા પર વાસનાભર્યા જીવનની સ્પષ્ટ રેખાઓ દેખાઈ. પોતે પોતાની યુવાની બરબાદ કરે છે એ સમજાયા બાદ એમણે કાયમી સુખ શોધવાનું નક્કી કર્યું. તેઓ કોશાને છોડીને સીધા આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચ્યા કે જે ભગવાન મહાવીરના ૬ઠ્ઠા અનુગામી હતા. પોતાની શરણાગતિ સ્વીકારતા તેમણે કહ્યું કે તે વાસનાભ જીવની ખિન્ન હતા અને પોતાનું જીવન સાર્થક થાય એવું કંઈક તેમને કરવું હતું. આચાર્યએ તેમની વિનંતી માનપૂર્વક સ્વીકારી.
અહીં એક ૩૦ વર્ષનો યુવાન માણસ હતો જે પોતાની જુવાનીનું જોમ ખોઈ ચુક્યો હતો. એના વાસનાભર્યા જીવને એના શરીરની ખરાબ હાલત કરી હતી. પરંતુ તેના મુખ પર તેજસ્વી પિતાનું તેજ હજી ચમકી રહ્યું હતું. સ્થૂલિભદ્રના અડગ મન અને વિનમ્ર સ્વભાવને જોઈને વિદ્વાન આચાર્યને તેમાં જિનશાસનનું ઉજ્જવળ ભવિષ્ય દેખાયું અને તેમણે એમનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો.
Page 186 of 307