________________
Compodium of Jainism - Part (II)
G.4. આચાર્ય સ્થૂલિભદ્ર
બિહાર રાજ્યની રાજધાની મગધનો ખુબ જ લાંબો અને રોચક ઇતિહાસ રહ્યો છે. મહાવીરના સમયમાં ત્યાં શિશુનાગ વંશના રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. આ વંશનો રાજા શ્રેણિકના પ્રપોત્ર ઉદાયી સાથે અંત થયો. ત્યાર બાદ ત્યાં નંદ વંશનું સામ્રાજ્ય હતું. નવ પેઢી પછી ધનાનંદ નામે રાજા ત્યાં રાજ્ય પર આવ્યો. આ મહાવીર નિર્વાણના ૨૦૦ વર્ષ પછી ઈ.સ.પૂર્વે ૩૦૦ ની વાત છે.
ધનાનંદ બિલકુલ કિંમા કે ન્યાર્થી રાજા ન હતો. તેણે પૂર્વજોએ છુપાવેલા ખજાના વિષે સાંભળ્યું હતું અને એ ખજાનો મેળવવા માટે તે મથતો હતો. ખજાનો ક્યાં છુપાવ્યો છે એના સ્થાન વિષે ધનાનંદને કઈ જ ખબર ન હતી, પરંતુ તે એ જાણતો હતો કે શકતાલ નામે જુના પ્રધાનમંત્રી કે જે તેને પિતાના રાજ્યમાં હતા તેમને ખજાના વિષે ખબર હતી. એટલા માટે ધનાનંદે શકતાલ પાસેથી માહિતી નિકાળવાના પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા, પરંતુ શકતાલે ખજાના વિષે કોઈ પણ પ્રકારની માહિતી આપવાની ના પાડી દીધી. આથી રાજા એ તેમને નિવૃત્ત કરી દીધા અને કારભાર બીજા મંત્રીઓના હાથમાં સોંપી દીધો.
શકતાલ રાજ્યનો ખુબ જ સમજદાર અને પ્રતિષ્ઠિત મંત્રી હતો. રાજ્યના વિદ્વાનો અને ઉચ્ચ અધિકારીઓ મહત્વની વાતોમાં હંમેશા શકતાલની સલાહ લેતા. જોકે તેઓએ હવે શકતાલ સાથે રાજાના ભયથી વાત કરવાનું બંધ કરી દીધું હતું.
શકતાલને સાત પુત્રીઓ અને સ્ફુલિભદ્ર અને શ્રીચક નામે બે પુત્રો હતા. સ્થૂલિસ સુંદર, હોશિયાર અને તેજસ્વી હતો પરંતુ તે મહત્વકાંક્ષી ન હતો. ખુબ જ યુવાન વયથી તે મગધની રાજધાની પાટલીપુત્રમાં રહેતી એક નર્તકી કોશાને જોવા જતો હતો. તે બંને પ્રેમમાં પડયા. તેમના પરિવારનો વિરોધ હોવા છતા તે માત્ર ૧૮ વર્ષની વયે ઘર છોડીને કોશા સાથે રહેવા જતો રહ્યો. તેણે કોશાના મોહમાં પોતાની કારકિર્દી કે પરિવાર તરફ પણ ધ્યાન ન આપ્યું. ધનાનંદ રાજાએ સ્થૂલિભદ્રને રાજ્યમાં ઉંચો હોદ્દો આપ્યો પરંતુ એ તેણે સ્વીકાર ન કર્યો. આથી રાજાએ આ હોદ્દો તેના નાના ભાઈ શ્રીયકને આપી દીધો.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ધનાનંદના શાસનનો ખરાબ સમય આવવા લાગ્યો. મગધના લોકોએ મોટી રાજનૈતિક ઉથલપાથલ અને ગરબડો જોઈ. લોકોમાં વર્તમાન પરિસ્થિતિને લઇને ખુબ જ અસંતોષની લાગણી થઇ અને નંદ સામ્રાજ્યનો અંત આવે એવું લોકો ઇચ્છવા લાગ્યા. ધનાનંદ પોતાને અસુરક્ષિત માનવા લાગ્યો અને શ્રીયક અને એના પિતા શકતાલ સહીત બધા મંત્રીઓ પર શંકા કરવા લાગ્યો.
Page 185 of 307