SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) જયારે જંબુ અને તેની પત્નીઓની ચર્ચા પૂર્ણ થઇ ત્યારે તેમની આઠેય પત્નીઓ પણ તેમની સાથે સંસાર છોડવા તૈયાર થઇ ગઈ અને પ્રભવ પણ ત્યારે અંદર આવ્યો અને તેણે કહ્યું કે તે અહીં ચોરી કરવા માટે આવ્યો હતો પણ જંબુ અને તેની પત્નીઓની ચર્ચા સાંભળીને તે અને તેના ૫૦૦ સાથીદારો પણ સંસાર છોડવા ઈચ્છે છે. પ્રભવ અને તેના ૫૦૦ સાથીદારો જંબુના અનુયાયી બનવા તૈયાર થઇ ગયા. બીજા દિવસે તે નગર જંબુ અને તેની પત્નીઓ તથા પ્રખ્યાત ચોર પ્રભવ અને તેના સાથીદારોના સંસાર છોડવાનાના આશ્ચર્યજનક સમાચાર વચ્ચે જાગ્યું. જંબુના માતા-પિતાને પહેલા તો આ સાંભળીને દુઃખ થયું કે તેમના ઉપાયો કારગત ન નીવડ્યા પરંતુ પાછળથી જંબુની વાતોની અસર થતા તેમણે પણ જંબુ સાથે જોડાવાનું નક્કી કર્યું. આ સમાચાર સાંભળીને અને સમજણ આવતા આઠેય કન્યાઓના માતા-પિતા પણ સંસાર છોડવા તૈયાર થયા. એક અદભુત વરઘોડામાં આ બધા જંબુ સાથે જોડાયા અને સુધર્મા સ્વામી પાસે પહોંચ્યા. જંબુ એ સુધર્મા સ્વામીને નમન કર્યા અને તેમનો શિષ્ય બન્યો. પ્રભવ અને તેના સાથીદારો પણ જંબુના શિષ્યો બન્યા. જંબૂસ્વામી ભગવાન મહાવીરના બધા જ ઉપદેશોને ભણ્યા. મોટા ભાગના જૈન મૂળ શાસ્ત્રો (૧૨ અંગ આગમો) સુધર્મા સ્વામીને જંબૂસ્વામી વચ્ચેના સંવાદ સ્વરૂપે છે. જયારે સુધર્મા સ્વામીને કેવળજ્ઞાન મળ્યું ત્યારે જંબૂસ્વામી જૈન સંઘના આગેવાન બન્યા. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તે ૪૪ વર્ષ સુધી અને દિગંબર પરંપરા મુજબ ૩૮ વર્ષ સુધી તેમણે જૈન સંઘનું સુકાન સંભાળ્યું અને પછી તેમને કેવળદાનની પ્રાપ્તિ થઇ. તેમનું ૮૦ વર્ષની વયે નિર્વાણ થયું. બોધ: જે સમયે જંબૂસ્વામી એ સુધર્મા સ્વામીની દેશના સાંભળી એ સમયથી જ તેઓ સંસાર છોડવા માંગતા હતા. વાસ્તવમાં તેમના વિચારો એટલા પ્રબળ હતા કે તેમણે બીજા સેંકડો લોકોને મુક્તિના પથરૂપી શ્રમણ પરંપરામાં જોડ્યા. તેમને ખબર હતી કે ભૌતિક સુખ અને શારીરિક સુંદરતા ફક્ત એક ભ્રમ છે અને અનિત્ય છે. તે લૂંટારાનો પણ શુદ્ધતા તરફ જવાનો નિર્ણય નોંધપાત્ર છે. આત્માની શુદ્ધિ પર ધ્યાન આપીને બીજાને પણ એ જ તરફ દોરવાનો અહીં ચાવીરૂપ વે છે. મુખ્ય મુદ્દાઓ: •જમ્બુસ્વામી અને તેમની પત્નીઓ(૮), પ્રભવ અને તેના સાથીદારો(૫૦૦), જંબુસ્વામીના માતા-પિતા અને તેમની પત્નીઓના માતા-પિતા(૧૬) - આ બધા એ જંબુના લગ્ન પછી સંસાર છોડ્યો. (કુલ ૫૧૮) • સુધર્મા સ્વામીના મુખ્ય શિષ્ય અને તેમના નિર્વાણ પછી જૈન સંઘના સુકાની . જંબૂસ્વામી આ કાળચક્રના આખરી કેવલી હતા. Page 184 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy