________________
Compodium of Jainism – Part (II)
હાજર રહેલા બધાને ઈર્ષા ઉપજાવે એ રીતે નવ-પરિણીતો પર મોંઘા આભૂષણો અને ઝવેરાતોની વર્ષા થઇ. રાજગૃહીમાં આવી જાહોજલાલી કોઈએ પહેલા જોઈ ન હતી. બધાએ જંબુને આવી સુંદર પત્નીઓને પરણવા બદલ અભિનંદન આપ્યા અને તેના માટે સુખની કામના કરી.
જંબુ એ તે રાત સુંદર રીતે શણગારેલા રૂમમાં પોતાની પત્નીઓ સાથે વ્યતીત કરી. પરંતુ તે લગ્નની ઝાકમઝોળ અને પત્નીઓની સુંદરતાથી અલિપ્ત રહ્યા. તે બીજા દિવસે પોતાના દીક્ષા લેવાના નિર્ણયમાં અડગ હતા અને તેમણે આ રાત પત્નીઓને ધાર્મિક સમજ આપવા માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. તેમણે પત્નીઓને જીવનની અનિત્યતા અને સંબંધોના ભયાનક સ્વભાવ વિષે સમજાવાનું નક્કી કર્યું.
જયારે તે પત્નીઓ સાથે ધાર્મિક ચર્ચા કરવામાં મશગુલ હતા ત્યારે પ્રભવ નામે લૂંટારો પોતાના ૫૦૦ સાથીદારો સાથે મહેલમાં પ્રવેશ્યો. એક વખતનો વિંધ્ય રાજ્યનો રાજકુમાર પ્રભવ પોતાના માતા-પિતા સાથે ખટરાગ થવાથી પોતાનો મહેલ છોડીને લૂંટારો બન્યો હતો અને ૫૦૦ વફાદાર સાથીઓનો આગેવાન હતો. પ્રભવ પાસે તેના કામમાં મદદમાં આવે એવી ખાસ આવડત હતી. તે કોઈને પણ ગાઢ નિંદ્રામાં મૂકી શકતો હતો અને કોઈ પણ તાળું ખોલી શકતો હતો.
જંબુના લગ્ન પ્રસંગ વિષે સાંભળીને તે આ નગરમાં અદભુત ખજાનાની ચોરી કરવા આવ્યો હતો. તેણે પોતાની આવડતનો ઉપયોગ કરીને મહેલમાં બધાને ગાઢ નિંદ્રામાં મૂકી દીધા અને બધા તાળા ખોલી દીધા. પછી તે પોતાના ૫૦૦ સાથીદારો સાથે ચોરી કરવા માટે ઝડપથી મહેલમાં પ્રવેશ્યો. પણ તે જેવો જંબુના રૂમની નજીક આવ્યો, તેણે જંબુને પોતાની પત્નીઓ સાથે ચર્ચા કરતો સાંભળ્યો. તેમની વાતો ધ્યાનથી સાંભળવા તે દરવાજાની વધારે નજીક આવ્યો. તેના આશ્ચર્ય વચ્ચે જંબુ દીક્ષા અને સંસારની અસારતા વિષે ચર્ચા કરી રહ્યા હતા. તેમના શબ્દો એટલા પ્રભાવશાળી હતા કે પ્રસરે સાંભળવાનું ચાલુ રાખ્યું.
તેણે વિચાર્યું કે જે ખજાના ને લૂંટવા માટે હું આટલા પ્રયત્નો કરું છું એનો મલિક તો એ છોડીને દીક્ષા લેવાની વાત કરે છે. જંબુએ પત્નીઓને સમજ આપવાની ચાલુ રાખી અને પ્રભવે એ વાર્તાલાપ સાંભળ્યો. પ્રભવના બીજા સાથીદારો મહેલનો બીજો સમાન લૂંટીને પાછા આવ્યા ને પ્રભવને પણ જંબુના રૂમનો સમાન લઇ લેવા કીધું કે જેથી ચોકીદારો જાગે એ પહેલા એ લોકો ભાગી શકે, પરંતુ ત્યાં સુધીમાં પ્રણવને ધનની કોઈ લાલચ રહી ન હતી અને તેણે લૂંટારાની જિંદી છોડીને સુધરવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાના સાથીદારોને કહ્યું કે એણે લૂટારાની જિંદગી છોડવાનું નક્કી કર્યું છે. એ લોકો પોતાની રીતે જઈ શકે છે. પરંતુ સાથીદારોએ કહ્યું કે એ લોકો પ્રભવ વિના ક્યાંય નઈ જાય. જો તેણે લૂંટ અને ચોરી છોડી દીધી છે તો એ લોકો પણ છોડી દેશે.
Page 183 of 307