________________
Compodium of Jainism – Part (II)
અને સ્વસ્થ જોઈને ખૂબ જ ખુશ થઇ. જોકે આચાર્ય ભદ્રબાહુ આ વાતથી ખુબ જ નિરાશ થયા કેમ કે સ્પલિસનએ એક નજીવા હેતુ માટે પોતાની શક્તિઓનો દુરુપયોગ કર્યો હતો. તેમને લાગ્યું કે સ્યુલિભદ્ર સા આધ્યાત્મિક પ્રગતિ માટે પરિપક્વ નથી અને તેમણે બાકીના ૪ પૂર્યો ભણાવવાની તેમને ના પડી દીધી. શિસ્તબદ્ધ સ્થૂલિભદ્ર એ તેમને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આચાર્ય ભદ્રબાહુ દ્રઢ હતા. જયારે જૈન સંઘે આચાર્ય ભદ્રબાહુને સ્થૂલિભદ્રને બાકીના ૪ પૂર્વે ભણાવવા વિનંતી કરી ત્યારે આચાર્ય ભદ્રબાહુએ સ્ફુલિભદ્ર માટે નીચેની બે શરતો રાખી:
તે મ્યુલિભદ્રને બાકીના ૪ પૂર્વીનો અર્થ નહિ સમજાવે
Úશિશ્ન આ ૪ પૂર્વે બીજા કોઈ સાધુને નહિ શીખવી શકે,
સ્થૂલિભદ્રએ શરતો માન્ય રાખી અને બાકીના ૪ પૂર્વે શીખ્યા. જૈન શાસ્ત્રો ક્યાંય લિખિત સ્વરૂપમાં ન હતા અને આચાર્ય સ્થૂલિભદ્ર સ્વામીએ દુષ્કાળ દરમ્યાન તેને બચાવવાના ખુબ પ્રયત્નો કર્યા, આથી જૈન ઇતિહાસમાં તેમનું ખુબ માનવંતુ સ્થાન છે. આજની તારીખમાં પણ તેમનું નામ શ્વેતામ્બર પરંપરામાં ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામી પછી લેવામાં આવે છે.
બોધ: ઉંચા ધ્યેય રાખવાની કોઈ ઉમર નથી હોતી અને જો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો તો કોઈ પણ મુશ્કેલી અઘરી નથી કે તેમાંથી બહાર ન આવી શકાય. તે ૩૦ વર્ષના હતા અને તેમણે જીવનના ૧૨ વર્ષો વેડફી દીધા હતા તો પણ તેમણે સંસાર છોડી દીધો અને સાધુ જીવનના આચારોનું સારી રીતે પાલન કર્યું. દ્રઢતાપૂર્વક તેમણે પોતાના ઈચ્છા રૂપી અંતર શત્રુને પણ એ જગ્યાએ જઈને પરાસ્ત કર્યા જે જગ્યાએ તેમની ઈચ્છાઓ ચરમસીમા પર હતી. છેવટે એ એક એવા સાધુ બન્યા જેમને તેમના અદભુત ધાર્મિક કાર્યો માટે આજે પણ પ્રાર્થનામાં યાદ કરવામાં આવે છે.
મુખ્ય મુદ્દાઓ
• સ્થૂલિભદ્રએ પોતાના પ્રલોભનો પર પોતાની પૂર્વ પ્રેમિકાની જગ્યાએ જઈને વિજય મેળવ્યો અને તે માટે તેઓ એક આદરલાયક સાધુ બન્યા.
•
દુષ્કાળ બાદ અમુક સાધુઓએ દક્ષિણમાં સ્થળાંતર કર્યું અને આગમોના લુપ્ત થવાનો ભય
હતો ત્યારે સ્થૂલિભદ્ર એ પાટલીપુત્રમાં પ્રથમ વખત સંમેલન રાખીને આગમોની વાચના કરી.
• આચાર્ય ભદ્રબાહુ પાસેથી આગમો ભણ્યા, છેલ્લા શ્રુત કેવલી(જેને આગમોનું સંપૂર્ણ જ્ઞાન હતું); શક્તિઓના દુરુપયોગના લીધે છેલ્લા ૪ પૂર્વે બીજા કોઈ સાધુને ભણાવી ન શક્યા.
Page 190 of 307