________________
Compodium of Jainism - Part (II)
ઉ.2 ગણધર સુધર્મા સ્વામી
ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના એક માત્ર ગણધર ન હતા. જયારે ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યાર બાદ એમના ૧૧ ગણધર હતા. ભગવાનના નિર્વાણ સમયે તેમાંથી બે ગણધર જીવિત હતા : ગૌતમ સ્વામી અને પાંચમા ગણધર સુધર્મા સ્વામી.
એ બેમાંથી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના બીજા દિવસે જ કેવળજ્ઞાન મળ્યું. જૈન પરંપરાનો એવો નિયમ છે કે કેવલી સાધુ કે સાધ્વી હંમેશા ધ્યાનની અવસ્થામાં રહે છે અને સાધુઓની આગેવાની કરતા નથી. આથી સુધર્મા સ્વામી સમગ્ર સાધુ પરિવાર અને જૈન સમાજના આગેવાન બન્યા.
સુધર્મા સ્વામી કોલાગ, અત્યારના કોલુઆ નામે બિહાર રાજ્યના નગરમાં ધમ્મિલ નામે બ્રાહ્મણ પંડિત અને તેમની પત્ની ભદ્દિલાના પુત્ર હતા. બંને લાંબા સમયથી એક બાળકને ઝંખતા હતા અને ભદ્દિલાએ દેવી સરસ્વતીની ખુબ શ્રદ્ધાથી ભક્તિ કરી. એવું કહેવાય છે કે ભદ્દિલાની ભક્તિથી પ્રભાવિત થઇને સરસ્વતી દેવી એ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તે એક ઉત્તમ ગુણયુક્ત બાળકને જન્મ આપશે. થોડાક જ સમયમાં ભદ્દિલા ગર્ભવતી થઇ અને યોગ્ય સમયે સુધર્મા નામે પુત્રને જન્મ આપ્યો. તે ઈ.સ.પૂર્વે ૬૦૭ માં જન્મ્યા હતા. આ રીતે તેઓ મહાવીર સ્વામીથી ૮ વર્ષ
મોટા હતા.
સુધર્મા તેમના માતા-પિતા સાથે પ્રેમભર્યા વાતાવરણમાં ઉછર્યા. યોગ્ય સમયે તેમને આશ્રમમાં મુકવામાં આવ્યા. જ્યાં તેમણે વેદો, ઉપનિષદો અને અન્ય હિન્દુ શાસ્ત્રોનો ઊંડાણમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે પોતાનો આશ્રમ શરુ કર્યો જે શિક્ષણનું કેન્દ્ર બની રહ્યો. આખા દેશમાંથી ૫૦૦ વિદ્યાર્થીઓ તેમની પાસેથી આશ્રમમાં શિક્ષા મેળવતા હતા.
એક પ્રખ્યાત બ્રાહ્મણ તરીકે સૌમિલ દ્વારા ગૌતમ સ્વામીના નેતૃત્વ નીચે થનાર યજ્ઞમાં સુધર્મા સ્વામીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઈંદ્રભૂતિ મહાવીર સાથે ચર્ચા કરવા ગયા બાદ એક પછી એક તેમના ભાઈઓ અને અન્ય વિદ્વાનો પણ મહાવીર સ્વામી પાસે જતા ગયા અને તેમના અનુયાયી બનતા ગયા. થોડાક જ સમયમાં સુધર્માનો પણ વારો આવ્યો.
સુધર્માની માન્યતા હતી કે દરેક જીવ મૃત્યુ પછી એ જ યોનીમાં જન્મે છે. બીજા શબ્દોમાં મનુષ્ય બીજા જન્મમાં મનુષ્ય તરીકે જ જન્મે છે. તેમની આ સમજ વનસ્પતિના જીવન પર આધારિત હતી. એક સફરજનના વૃક્ષમાંથી જે બીજ નીકળે છે તેમાંથી બીજું સફરજનનું જ ઝાડ ઉગે છે. તેમ મનુષ્ય બીજા જન્મમાં મનુષ્ય તરીકે જ જન્મે છે.
Page 179 of 307