________________
Compodium of Jainism – Part (II)
ભગવાન મહાવીરે તેમને પણ આવકાર આપ્યો અને તેમના વિચારો સમજ્યા. તેમણે શાંતિથી સુધર્માને સમજાવ્યું કે મનુષ્ય પોતાના કર્મના આધારે દેવ, નારકી કે તિર્યંન્ય ગતિમાં પણ જઈ શકે છે. તેમણે સુધર્માના બધા સંદેહો દૂર કર્યા અને તેમને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. સુધર્માએ ભગવાન મહાવીરની વાણીમાં વિદ્વત્તા જોઈ અને તેમની સમજાવટથી સંતુષ્ટ થઇને પોતાના ૫૦૦ અનુયાયીઓ સાથે ભગવાનના શિષ્ય બન્યા. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્મા સ્વામી તરીકે ઓળખાયા. પછીના વર્ષોમાં તેઓ પ્રથમ હરોળમાં બેસીને ભગવાન મહાવીરની દેશના સાંભળતા.
ઈ.સ.પૂર્વે પ૨૭માં પ્રભુ મહાવીરના નિર્વાણ પછી જૈન સંઘનું સુકાન સુધર્મા સ્વામીના કાર્યમાં આવ્યું. તેમને જૈન સંઘની સેવા કરતા કરતા ભગવાનનો સંદેશો દૂર દૂર સુધી ફેલાવ્યો. શ્વેતાંબર પરંપરા પ્રમાણે તેઓ ૨૦ વર્ષ સુધી અને દિગંબર પરંપરા પ્રમાણે તેઓ ૧૨ વર્ષ સુધી આચાર્ય
રહ્યા.
શ્વેતાંબર પરંપરા પ્રમાણે આ ૨૦ વર્ષમાં સુધર્મા સ્વામીએ ભગવાન મહાવીરની વાણીને ૧૨ શાસ્ત્રો કે જે અંગ આગમો તરીકે ઓળખાય છે તેમાં સંકલિત કરી. તેને દ્વાદશાંગી પણ કહે છે. દ્વાદશ એટલે કે ૧૨ અને અંગ એટલે કે ભાગ. ઘણા આગમો પ્રશ્ન-ઉત્તરના સ્વરૂપે છે. સુધર્મા સ્વામીના શિષ્ય જંબુસ્વામી પ્રશ્ન પૂછે છે અને સુધર્મા સ્વામી ભગવાન મહાવીરની વાણીને અનુસરતા ઉત્તર આપે છે. જો કે આ આગમો કંઠસ્થ સ્વરૂપે હતા. સુધર્મા સ્વામીને ઈ.સ.પૂર્વે ૫૧૫માં કેવળજ્ઞાન મળ્યું અને ઈ.સ.પૂર્વે ૫૭ માં તેમનું ૧૦૦ વર્ષની વયે તેમનું નિર્માણ થયું. તેમને કૈવાળાન મળ્યા બાદ જૈન સંઘનું સુકાન સુધર્મા સ્વામીના મુખ્ય શિષ્ય જંબુસ્વામીને સોંપવામાં આવ્યું.
બોધ: જૈન ધર્મના મૂળ ખુબ જ ઊંડા છે અને કેટલીયે પેઢીઓ થી ચાલ્યા આવતા શાસ્ત્રોના કથનના આધાર પર આપણે જૈન ધર્મ અનુસરીએ છે. ભગવાન મહાવીરની વાણીને અનુસરીને બનાવેલા શાસ્ત્રોને આપણે આગમ તરીકે ઓળખીએ છે. આ જમાનામાં આપણી પાસે ગૌતમ સ્વામી કે સુધમાં સ્વામી કવા સૂર તો નથી પરંતુ આપણી પાસે તેમના લખેલા રો છે. માટે આપણે પરંપરાથી આવેલા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
મુખ્ય મુદ્દાઓ:
• પ્રભુ મહાવીરના નિર્વાણ પછી તેઓ જૈન સંઘના આચાર્ય બન્યા અને પછી તેમને પણ વળાન થયું.
• શ્વેતાંબર પરંપરા મુજબ અંગ આગમની રચના કરી
.
શિષ્ય:જંબુસ્વામી
Page 180 of 307