SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) છતાં તેમણે ઉભા થઇને ગૌતમ સ્વામીનું સ્વાગત કર્યું. ગૌતમ સ્વામીએ તેમના સ્વાસ્થ્ય અને તેમના વિશિષ્ટ જ્ઞાન વિષે પૃચ્છા કરી. આનંદ શ્રાવકે સન્માન પૂર્વક કહ્યું, "હે આદરણીય ગુરુ! મને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તેનાથી હું પહેલા સ્વર્ગલોકથી માંડીને પહેલા નર્ક સુધી જોઈ શકું છું. ગૌતમ સ્વામી એ કહ્યું કે એક શ્રાવકને અવધિજ્ઞાન થઇ શકે છે પરંતુ એટલા પ્રમાણમાં થવું શક્ય નથી. તમારે એવું માનવા બદલ પ્રાયશ્ચિત લેવું જોઈએ. આનંદ શ્રાવકને મૂંઝવણ થઇ. તેમને ખબર હતી કે એ સાચા છે પરંતુ ગુરુએ એમની સત્યતા પર સંદેહ કરીને એનું પ્રાયશ્ચિત લેવા કહેતા હતા. માટે તેમણે નમ્રતાપૂર્વક ગૌતમ સ્વામીને પૂછ્યું કે શું કોઈને સાચું બોલવા બદલ પણ પ્રાયશ્ચિત લેવું જોઈએ? હવે ગૌતમ સ્વામીને પણ મૂંઝવણ થઈ. તેમણે કહ્યું કે કોઈ એ સત્ય બોલવા બદલ પ્રાયશ્ચિત લેવાની જરૂર નથી. પોતે મહાવીર સ્વામી પાસેથી ખાતરી કરશે એમ વિચારીને એમણે આનંદ શ્રાવકની રજા લીધી. પાછા ફરીને ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને આનંદ શ્રાવકના અવધિજ્ઞાન વિષે પૂછ્યું. પ્રભુ મહાવીરે કહ્યું કે "ગૌતમ આનંદ સાચું કહેતો હતો. તે પહેલા સ્વર્ગથી માંડીને પેહલા નર્ક સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. કોઈ શ્રાવકને ભાગ્યે જ એવું અવધિજ્ઞાન મળે છે. તે એની પર સંદેહ કર્યો એ બદલ તારે એનું પ્રાયશ્ચિત લેવું જોઈએ." ગૌતમ સ્વામી ગોચરી બાજુ પાર મૂકીને તરત જ આનંદ શ્રાવકના ઘરે ગયા અને એમની ક્ષમા માંગી. G.1.3 ૧૫૦૦ તાપસો ને પારણાં બીજા એક પ્રસંગમાં ગુરુ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર ૨૪ તીર્થંકરોના દર્શન માટે જાય છે. આ પર્વત ચઢવો ખુબ જ અઘરો છે. આ પર્વતની તળેટીએ ૧૫૦૦ તાપસો હતા જે પર્વત ચઢવા આયા હતા, પણ ચઢવામાં સફળ ન હતા. ગૌતમ સ્વામીને આ મુશ્કેલ સફરેથી પાછા ફરતા જોઈને તાપસો તેમનાથી ખુબ જ પ્રભાવિત થયા અને તેમણે ગૌતમ સ્વામીના ત્યાં અને એ જ સમયે શિષ્ય બનવાનું નક્કી કર્યું. ગુરુ ગૌતમ સ્વામીએ તેમને સાચા ધર્મ અને આચારનો ઉપદેશ આપ્યો અને તેમને પોતાના અનુયાયી તરીકે સ્વીકાર્યા. ૧૫૦૦ તાપસોએ જૈન સાધુધર્મ અંગીકાર કર્યો. ગૌતમ સ્વામીને ખબર પડી કે તાપસો ભૂખ્યા હતા અને એ લોકોને તેમણે એક પાત્રમાંથી ખીર આપી. તે લોકોને થયું કે ગૌતમ સ્વામી આ એક નાના પાત્રમાંથી બધાને કેવી રીતે ખીર આપશે. પરંતુ ગૌતમ સ્વામીએ તેમને બેસી જવા અનુરોધ કર્યો. તેમની પાસે અક્ષિણ મહાનાસિ લબ્ધી હોવાના લીધે તેમને એક જ પાત્રમાંથી બધાને ખીર આપી. ખીર આપતી વખતે તેમણે તેમનો અંગુઠો પાત્રની અંદર રાખ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે એ નાનું પાત્ર બધાની ભૂખ સંતોષવા માટે પૂરતું થઇ રહ્યું. Page 176 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy