________________
Compodium of Jainism – Part (II)
તો મહાવીરને તો મારું નામ ખબર જ હશે." પરંતુ ભગવાને તો પોતાના કેવળજ્ઞાનની મદદથી તે બ્રાહ્મણ અને તેમના વિચારોને જાણ્યા હતા. મહાવીરને તો એ પણ ખબર હતી કે તે તેમની સાથે ચર્ચા કરવા આવ્યા હતા.એમને એ પણ જાણમાં આવ્યું કે ઈંદ્રભૂતિને આત્માના અસ્તિત્વ વિશે સંદેહ હતો.
મહાવીરે પૂછ્યું, "ઈંદ્રભૂતિ, તમને આત્માના અસ્તિત્વ વિશે સંદેહ છે?" અને પછી તેમને સમજાયું કે આત્મા છે અને તે શાશ્વત છે. તેમને હિન્દુ શાસ્ત્રો(વેદ)ના અર્થઘટન સમજાવ્યા અને ઈંદ્રભૂતિને આત્માના અસ્તિત્વ વિશે ખાતરી કરાવી. ઈંદ્રભૂતિને આશ્ચર્ય થયું કે મહાવીરને એમના સંદેહ વિશે અને એમના શાસ્ત્રો વિશે પણ ખબર હતી. ઈંદ્રભૂતિને પોતાનું જ્ઞાન અપૂર્ણ લાગ્યું અને તેઓ સજાગ બન્યા અને તેમણે ૫૦ વર્ષની વયે મહાવીર સ્વામી પાસેથી દીક્ષા લીધી અને તે એમના પ્રથમ ગણધર થયા. ત્યારથી એ ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા કેમ કે એ ગૌતમ પરિવારથી આવ્યા હતા.
આ બાજુ સૌમિલ અને બીજા ૧૦ વિદ્વાનો ચર્ચાના વિજેતા ઈંદ્રભૂતિની યજ્ઞ વિધિની જગ્યા એ રાહ જોતા હતા. પરંતુ ઈંદ્રભૂતિ મહાવીરના શિષ્ય બની ગયા એ જાણી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. બીજા ૧૦ વિદ્વાનો પણ પોતાના શિષ્યો સાથે મહાવીર સ્વામી સાથે ચર્ચામાં ઉતર્યા અને તેઓ પણ તેમના ગણધર બન્યા. નિરાશ થઈને સૌમિલે યજ્ઞ વિધિ મોકૂફ રાખી અને બધા પશુઓને મુક્ત કર્યા. આ ૧૧ વિદ્વાનો પ્રભુ મહાવીરના મુખ્ય શિષ્યો બન્યા અને તે એમના ગણધર તરીકે ઓળખાયા.
આ બનાવ બન્યો ત્યારે મહાવીર સ્વામી ભગવાન ૪૨ વર્ષના હતા અને તેમને ત્યારે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. ત્યાર બાદ તેઓ ૩૦ વર્ષ સુધી જીવ્યા અને દેશના અનેક ભાગમાં ફરીને તેમણે કરુણાનો ઉપદેશ આપ્યો અને લોકોને મુક્તિનો માર્ગ ચીંધ્યો.
G.1.2. આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન
ગૌતમ સ્વામી પાંચ મહાવ્રતો અને બધા આચારનું પાલન કરીને જૈન સાધુનું જીવન જીવતા હતા. એક વખત ગૌતમ સ્વામી ગોચરી લઇને પાછા ફરતા હતા ત્યારે તેમને અમુક લોકોને આનંદ શ્રાવકને ત્યાં જતા જોયા. આનંદ શ્રાવકને વિવિધ તપ અને સાધનાના ફળ સ્વરૂપે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થયી હતી. આનંદ શ્રાવક પ્રભુ મહાવીરના અનુયાયી હતા. ગૌતમ સ્વામીએ તેમને મળવા જવાનું નક્કી કર્યું.
જયારે આનંદ શ્રાવકે ગૌતમ સ્વામીને આવતા જોયા ત્યારે તે બહુ ખુશ થયા. તપથી અશક્ત હોવા
Page 175 of 307