________________
G.1 ગૌતમ સ્વામી
Compodium of Jainism - Part (II)
ઈ.સ.પૂર્વે ૬૦૭ માં મગધ રાજ્યના ગોબર નામે પ્રદેશમાં વસુભૂતિ અને પૃથ્વી ગૌતમ નામે એક બ્રાહ્મણ યુગલ રહેતું હતું. તેમને ત્રણ પુત્રો હતા: ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. ત્રણેય પુત્રો હિન્દુ શાસ્ત્રો(વેદ) ના જાણકાર હતા અને હિન્દુ વિધિ અને ક્રિયામાં નિષ્ણાત હતા.તેઓ ખુબ નાની વયમાં પ્રખર વિદ્વાન હતા અને તે દરેકને ૫૦૦ શિષ્યો હતા.
G.1.1. સૌમિલનો યજ્ઞ
એ વખતે નજીકના અપાપા નામે નગરમાં સૌમિલ નામના બ્રાહ્મણે એક યજ્ઞ રાખ્યો હતો. લગભગ ૪૪૦૦ જેટલા બ્રાહ્મણો આ યજ્ઞ માટે જોડાયા હતા. ૧૧ સૌથી પ્રખ્યાત વિદ્વાનોમાં ઈંદ્રભૂતિ મુખ્ય હતા જે યજ્ઞની વિધિ કરવાના હતા.
આખું નગર આ પ્રસંગ માટે ઉત્સાહિત હતું જેમાં નિર્દોષ ઘેટાં અને બકરાની બલી ચઢવાની હતી. ઈંદ્રભૂતિ જેવા યજ્ઞની શરૂઆત કરવા ગયા ત્યારે લોકોએ દેવલોકમાંથી કેટલાક દેવ-દેવીઓને યજ્ઞની જગ્યા બાજુ ઉતરતા જોયા. ઈંદ્રભૂતિને આ જોઈને અત્યંત ખુશી થઈ. તેમણે વિચાર્યું કે આવો યજ્ઞ પેહલા ક્યારેય નહી થયો હોય. તેમણે લોકોને કહ્યું કે, "જુઓ, દેવતાઓ પણ આપણને આશીર્વાદ આપવા આવ્યા છે." બધાએ આતુરતાથી આકાશ તરફ જોયું અને તેમના આગમનની રાહ જોવા લાગ્યા.
બધાના આશ્ચર્ય વચ્ચે દેવતાઓ ત્યાં રોકાયા નહિ અને તે જગ્યાને પસાર કરીને આગળ મહાસેન વન બાજુ આગળ વધ્યા. ઈંદ્રભૂતિને ખબર પડી કે દેવતાઓ યજ્ઞ માટે નહિ પરંતુ ભગવાન મહાવીર કે જેમને કેવળ જ્ઞાન થયેલું છે અને જે તેમની પ્રથમ દેશના અર્ધમાગધી કે પ્રાકૃતમાં આપવાના છે તેમના મહોત્સવ માટે આવ્યા હતા.
ઈંદ્રભૂતિને ગુસ્સો આવ્યો કે દેવતાઓએ તેમના યજ્ઞનો આદર ન કર્યો. એમને ગુસ્સામાં વિચાર્યું કે કોણ છે આ મહાવીર? એને તો સંસ્કૃત પણ નથી આવડતું. તે તો પ્રવચન આપવા સ્થાનિક અર્ધમાગધી ભાષાનો ઉપયોગ કરે છે. ઈંદ્રભૂતિ દેવતાઓને સાબિત કરવા કે પોતે મહાવીરથી વધારે જ્ઞાની છે, તેઓ પોતાના ૫૦૦ શિષ્યો સાથે યજ્ઞ છોડીને ભગવાન મહાવીર સાથે ચર્ચા કરવાનું નક્કી કરે છે.
તેઓ પહેલા ક્યારેય મળ્યા ન હોવા છતાં ભગવાન મહાવીર તેમને નામથી બોલાવીને આવકાર આપે છે. પેહલા તો ઈંદ્રભૂતિને આશ્ચર્ય થાય છે પણ પછી તે વિચારે છે, "હું એટલો મોટો વિદ્વાન છું
Page 174 of 307