SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) સંસારમાં ઓતપ્રોત થયા પછી કદાચ તેને છોડવું અઘરું બને તેથી સત્ય અને સુખના રસ્તે પોતાને તથા અન્યને દોરી જવા માટે આ જ યોગ્ય સમય છે એં વિચાર્યું. અને તેમણે લગ્ન નહીં કરવાનું નક્કી કર્યુ. તેમના આ નિર્ણયથી કન્યા પક્ષ વાળા સહુ અચંબામાં પડી ગયા. સગાવહાલા અને મિત્રોએ તેમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે શાંતિથી સહુને સમજાવ્યું કે તેમનો ઉદ્દેશ જીવમાત્રને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરવાનો છે. પાંજરામાં બંધાયેલા આ પ્રાણીઓને જેમ આપણે પણ આ આપણા ગાઢ કર્મોથી બંધાયેલા છીએ. પ્રાણીઓ મુક્ત થવાથી ઘણો જ આનંદ અનુભવે છે. બંધન કરતા મુક્તિમાં જ સુખ રહેલું છે. કર્મના બંધનને કાપીને પરમ સુખ મેળવવા માટેના માર્ગે હું જવા ઇચ્છું છું માટે મને રોકશો નહીં અને સારથીને રથ તરત પાછો વાળવા જણાવ્યું. પોતાના રાજ્યમાં પાછા ફર્યા બાદ નેમકુમાર એક વર્ષ સુધી ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થયા. ત્યારબાદ પોતાનો રાજમહલ છોડીને રૈવત ઉપવનમાં રહેવા લાગ્યા. સાધુ બનેલા નેમકુમાર ધ્યાન અવસ્થામાં સાચા સુખનું ચિંતન કરતા સ્થિર ઊભા રહ્યા. અજ્ઞાનને કારણે બુદ્ધિગમ્ય જ્ઞાન સત્યથી વેગળું રહે છે. પરિણામે ખોટા પગલાં ભરતા દુઃખને દર્દ જ મળે છે. તેથી તે આત્મામા ઊંડા ઊતરી ચિંતન કરવા લાગ્યા. ગિરનાર પર્વત ઉપર ૫૪ દિવસ સુધી અધ્યાતમ ધ્યાનમાં પસાર કર્યાં બાદ નેમિનાથે પોતાના આત્માના સહજ સ્વરૂપ અને અનંત શક્તિઓના રુંધનારા પોતાના ઘાતી કર્મનો સંપૂર્ણ નાશ કર્યો અને આત્મા અંગે જે ધૂંધળું અને અસ્પષ્ટ જ્ઞાન હતું તે સત્ય રૂપે પ્રાપ્ત થયું. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને સર્વજ્ઞ બન્યા. ચતુર્વિધ ધાર્મિક વ્યવસ્થાની સ્થાપના કરી. જૈન ધર્મના બાવીસમાં તીર્થંકર બન્યા. ત્યાર બાદ બાકીનું લાંબું આયુષ્ય સામાન્ય જન સમુદાયને મુક્તિના માર્ગરૂપ ઉપદેશ આપવામા વિતાવ્યું. જ્યારે નેમિનાથે આ ભૌતિક દુનિયાને છોડી દેવાનું નક્કી કર્યું ત્યારે રાજુલની સખીઓ તેની મશ્કરીઓ કરતી હતી. અને નેમિનાથ વરરાજા રૂપે પધારે તે ઘડીઓની આતુરતા પૂર્વક રાહ જોતી હતી. અચાનક નેમકુમાર પરણવાને બદલે બારણેથી પાછા ફર્યા છે તેવા સમાચાર મળ્યા. કોઈ નેમકુમારના આ નિર્ણયને સમજી ના શક્યા. રાજુલ ઊંડા દુઃખમાં સરી પડી. તેની સખીઓ તેને કલાકો સુધી આશ્વાસન આપવા લાગી. કેટલીક સખીઓ નેમકુમારને શાપ આપવા લાગી. કેટલીક રાજુલ ને સમજાવવા લાગી કે ખરેખર નેમકુમાર તારે યોગ્ય હતાં જ નહીં. એમનાથી પણ ઉત્તમ વર શોધી કાઢીશું, પણ રાજુલે નેમકુમારને મનોમન પતિ માની લીધા હતા, તેથી કોઈ નેમકુમાર વિરુદ્ધ કંઈપણ બોલે તેનાથી સહન થતુ નથી. રાજુલ પણ આધ્યાત્મિક સ્વભાવવાળી હતી. નેમકુમારનું પાછા ફરવાનું સાચું કારણ જાણ્યું ત્યારે તે પણ દુખમાંથી બહાર આવી અને વિચારવા લાગી કે નમકુમારનો ઉમદા હેતુ તેણે પણ સ્વીકારવો જોઈએ. રાજુલ પણ નેમકુમારને પગલે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગી. Page 164 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy