________________
Compodium of Jainism - Part (II)
F.૩ ભગવાન નેમિનાથ
ભારતમાં ઉત્તર પ્રદેશમાં યમુના નદીના કિનારે આવેલ મથુરા તથા સૌરીપૂરમાં યાદવ વંશના રાજા સમુદ્ર વિજય રાજ્ય કરતા હતા. તેમને શિવાદેવી નામે રાણી તથા નેમકુમાર નામે રાજકુમાર હતો. તે નેમકુમાર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટ નામના કાળા હીરાના ચક્રની નેમી અર્થાત ધાર જોઈ હતી તેથી તેમને અરિષ્ટનેમી પણ કહે છે.
મથુરાના રાજા વાસુદેવ સમુદ્રવિજયના નાના ભાઈ હતા. તેમને રોહિણી અને દેવકી નામે બે રાણી હતી. રોહિણીએ બલરામને તથા દેવકીએ શ્રી કૃષ્ણને જન્મ આપ્યો હતો. જૈન પરંપરા પ્રમાણે બલરામ અને શ્રીકૃષ્ણ નવમા બલદેવ અને વાસુદેવ ગણાય છે. જયારે હિન્દુ પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે.
આ સમયમાં શિકાર અને જુગારને બહુ પ્રિય પ્રવૃત્તિઓ ગણવામાં આવતી. ધર્મના નામે પશુનો બલી અપાતો હતો અને લોકો માંસાહાર પણ કરતા. આખું મધ્ય ભારત એકબીજા સાથેના અનેક કાવાદાવાથી ભરેલા રાજ્યોમાં વહેંચાયેલું હતું. તેમાં રાજા કંસ અને મગધનો રાજા ખૂબ જ દુષ્ટ અને ઘાતકી સ્વભાવના હતા. જૈન પરંપરા પ્રમાણે જરાસંઘ પ્રતિવાસુદેવ તરીકે ઓળખાય છે. રોજના આ રાજાઓના ત્રાસથી પ્રજાને બચાવવા રાજા સમુદ્રવિજય, રાજા વાસુદેવ, રાજા ઉગ્રસેન તથા શ્રી કૃષ્ણ અને બલરામ ગુજરાતના પશ્ચિમ કિનારે આવી વસ્યા. શ્રીકૃષ્ણએ રૈવતક (ગિરનાર) પર્વતની નજીક દરિયા કિનારે મોટી અને સુંદર દ્વારિકાનગરી વસાવી અને એના મજબૂત અને ભવ્ય સ્થાપત્યને કારણે તે નગરી સ્વર્ગ સમી સુંદર લાગતી.
ગિરનારની બીજી બાજુએ આવેલ જૂનાગઢમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. તેમની પત્ની ધારિણીને રામની અથવા રાજુલ નામે દીકરી હતી. તે સુંદર રાજવુંવરીને અનેક રાજકુંવરો પરણવા ઇચ્છતા હતા. નેમકુમારના ગુણો સાંભળીને રાજીમતી તેમની સાથે પરણવા તૈયાર થઈ ગઈ. ઉગ્રસેને કહેણ મોકલ્યું. મિત્રો તથા વડીલોએ નેમકુમારને ખૂબ સમજાવ્યા. ઘણી આનાકાની બાદ સંસારથી વિરક્ત નેમકુમાર રાજુલ સાથે પરણવા તૈયાર થયા. નેમ-રાજુલ નું આદર્શ જોડું બનશે તેવું બધા માનવા લાગ્યા. ઉગ્રસેન પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવા તૈયારી કરવા લાગ્યા. શ્રીનેમકુમાર, સાજન-મહાજન, ઢોલ-નગારા સાથે ભવ્ય જાન જોડી પરણવા નીકળ્યા.
રસ્તામાં તેમણે ચિત્કાર કરતા પશુઓને પાંજરામાં જોયા. પશુઓના રુદનનું કારણ તેમણે સારથીને પૂછ્યું. તમારા લગ્નના જમણવારમાં આ પ્રાણીઓનું માંસ પીરસાશે એમ સારથીએ જણાવ્યું. તેમણે સારથીને બધા પાંજરા ખોલીને પશુઓને મુક્ત કરવા જણાવ્યું. આવી હિંસા કેવી રીતે રોકી શકાય તે વિચારવા લાગ્યા. શું દરેક જીવ માટે શાંતિ અને સલામતી ભર્યા રસ્તો નહીં હોય? જેમ જેમ તેઓ વિચારતા ગયા તેમ તેમ તેમને સહુના શ્રેય માટેના રસ્તા સમજાતા ગયા. લગ્ન કરીને
Page 163 of 307