SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) F.2 તીર્થંકર પાર્શ્વનાથ આશરે ૩૦૦૦ વર્ષ પહેલા ભારતના ગંગાકિનારે આવેલા વારાણસીમાં (બનારસ) અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા. રાણી વામાદેવી સાથે અશ્વસેન રાજા શાંતિપૂર્વક જીવન જીવતા તથા પણ ખૂબ જ લોકપ્રિય હતા. માગશર વદ ૧૦ (લગભગ ડિસેમ્બર મહિનો) ના દિવસે વામાદેવીએ રાજકુંવરને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસ બાજુમાંથી સાપ પસાર થતો જોયો હતો, તે સાપની છાપ વામાદેવીના મન પર બહુ ઘેરી થઈ તેથી જન્મેલા બાળકનું નામ પાર્શ્વકુમાર પાડ્યું. સંસ્કૃત અર્થ પ્રમાણે ધાર્યા કેટલે નજીકનું ખૂબ જ સમૃદ્ધિ વચ્ચે ઉછરતા પાર્શ્વકુમાર મોટા થતાં ખૂબ જ આકર્ષક યુવાન બન્યા. તે ખૂબ જ વિવેકી, બહાદુર તથા કુશળ યોદ્ધા હતા. આજુબાજુના રાજાઓ તેનાથી પ્રભાવિત થઇ પોતાની કન્યાને પાર્શ્વકુમાર સાથે પરણાવવા આતુર હતા. પાર્શ્વકુમારના લગ્ન પાડોશના રાજાની રાજકુંવરી પ્રભાવી સાથે ખૂબ જ ધામધુમથી થયા. પાર્શ્વકુમાર પોતાનું પરણીત જીવન સુખેથી પસાર કરતા હતા. તે સમયે બાળપણમાં જ માતા પિતા ગુમાવેલ અનાથ ભિક્ષુક કમઠ ત્યાં વારાણસીમાં પંચાંગ્નિ હવન કરવા માટે આવ્યો. એ ક્રિયાકાંડી હતો. તેની પાસે કોઈ પ્રકારની મૂડી નહોતી. લોકોની દયા પર જીવતો હતો. તેના વિધિ-વિધાનથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને તેની ભક્તિ કરવા લાગ્યા. કમઠના યજ્ઞ વિશે જ્યારે પાર્શ્વકુમારે જાણ્યું ત્યારે અગ્નિથી થતી હિંસાને લીધે તેઓ તેને તેમ ન કરવા સમજાવવા લાગ્યા પણ કમઠ કોઈ હિસાબે માન્યા નહીં. અતીન્દ્રિયના જ્ઞાનથી પાર્શ્વકુમારે યજ્ઞમાં બળતા લાકડામાં રહેલા સાપને જોયો. પોતાના માણસોને તે લાકડું બહાર કાઢી લઇ સાપને બચાવવા કહ્યું. સેવકે અડધો બળેલ સાપ બહાર કાઢ્યો. કોઈને સાપ દેખાયો નહોતો. તેથી પાર્શ્વકુમારે સાપને જોયો તેનાથી બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. મરતા સાપને નવકાર સંભળાવ્યો. સાપ ક્ષણવારમાં મૃત્યુ પામ્યો. મૃત્યુ બાદ તે સાપે સ્વર્ગમાં રહેતા નાગકુમારોના રાજા ધરણેન્દ્ર ના રૂપે ફરી જન્મ લીધો. પોતાના યજ્ઞના અગ્નિથી સાપ મર્યો તેનો પસ્તાવો થવાને બદલે કમઠ પાર્શ્વકુમાર ઉપર ગુસ્સે થયા. બદલો લેવાની તક શોધ્યા કરતા કમઠે આકરી તપશ્ચર્યા કરીને મરીને વરસાદના દેવ મેઘમાળી તરીકે બીજા ભવમાં જન્મ લીધો. સંસારી જીવોનું દુઃખ જોઈ પાર્શ્વ કુમારને વૈરાગ્ય આવ્યો. તેથી સાંસારિક સુખો અને સંબંધો છોડી વીસ વર્ષની ઉંમરે તેઓ સાધુ બની ગયા. પરમ સત્યને શોધવા માટે તેમણે બાકીનું જીવન Page 160 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy