________________
Compodium of Jainism – Part (II)
પર ગૌરવપૂર્ણ સંગીત વાગી રહ્યું હતું, સુગંધિત ચંદનના લાકડા ઉપર પાલખી મૂકવામાં આવી. અંતિમ પ્રાર્થના કર્યા પછી અગ્નિ પ્રગટાવવામાં આવી. પછીથી અગ્નિ બુઝાવવા અત્તરયુક્ત પાણી છાંટવામાં આવ્યું. તેમના દાંત અને હાડકાં દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા.
F.1.3.9 ઉપદેશ
ભગવાન મહાવીરના ઉપદેશોનું તેમના શિષ્યો દ્વારા ૧૨ પુસ્તકોમાં સૂત્રોના રૂપમાં મૌખિક રીતે સંકલન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકો અંગ આગમ સૂત્ર તરીકે ઓળખાયા. અનેક વિદ્ધવાન આચાર્યો (શ્રુત કેવલી સાધુઓ) એ અંગ આગમ સૂત્રોને વધુ સમજાવવા ઘણા પુસ્તકોનું સંકલન કર્યું હતું. આ બધા પુસ્તકો ગમ અથવા આગમ સૂત્રો કહેવામાં આવે છે અને તે જૈન ધર્મમાં શાસ્ત્ર તરીકે માનવામાં આવે છે. આ આગમ સૂત્રો સમયની સાથે સાથે મૌખિક રીતે સાધુઓની પેઢી દર પેઢી પસાર કરવામાં આવ્યા હતા. સમય જતાં આ આગમ સૂત્રોમાંથી કેટલાક ખોવાઈ ગયા. લગભગ એક હજાર વર્ષ પછી યાદ રહેલા આગમ સૂત્રોનું સંકલન કરવામાં આવ્યું હતું અને તાડપત્રી પર લખવામાં આવ્યું હતું.
બોધ : દરેક ઘટનામાં તીર્થંકર મહાવીરના મન અને આત્મા તેમની શારીરિક વેદના અને યાતના ઉપર જીતી જાય છે એ આપણને આ ઘટનાઓથી જણાય છે. તેમણે ધ્યાન અને તપસ્યાથી આત્માનું કિરણ કર્યું લોક, રેક વસ્તુઓને પોતાના ખાસ અલગ કોઈ ભેદ ના અને અમર આત્માની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વિશેષતાઓ :
પાછલા ભવો : નયસાર (ભવ ૧, સ્મયકત્વની પ્રાપ્તિ)
મરીચિ (ભવ ૩)
વિભૂતિ (ભવ ૧૬)
ત્રિપુષ્ટ વાસુદેવ (ભવ ૧૮)
પ્રિય મિત્ર ચક્રવર્તી (ભવ ૨૩) અને નંદન મુનિ (ભવ ૨૫ તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ, મહાવીર તરીકેના જન્મ પહેલા ૩ જીવન)
૫૯૯ બી.સી. સમયે રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા જેમણે ૧૪ કે ૧૬ સ્વપ્નો જોયા હતા ભાઈ - નંદીવર્ધન, બહેન – સુદર્શના.
હિમંત અને ધ્યાનના પ્રસંગો – બાળપણમાં નાગ, ગાયનું ધણ, શૂલપાણી રાક્ષસ, ચંડકૌશિક, કાનમાં ખીલા.
મહત્વપૂર્ણ સંકળાયેલા નામ - ચંદનબાળા, ૧૧ ગણધર (ગૌતમ સ્વામી).
ઉપદેશો : આગમ સૂત્ર (૧૨ અંગ)
નિર્વાણભૂમિ - પાવપુરી, દિવાળી તહેવાર
Page 159 of 307