SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) જોવા મળ્યા. બલિદાનના મુખ્ય પૂજારી ગૌતમ ગૌત્રના ઇન્દ્રભૂતિએ આ ટોળા કયા જાય છે તેની પૂછપરછ કરી અને તેમને ખબર પડી કે બધા ભગવાન મહાવીરના સમવસરણમા જાય છે. ભગવાન મહાવીર લોકોને આકર્ષિત કરે છે તે જાણી ઇન્દ્રભૂતિનો અહમ ઘવાયો અને સર્વજ્ઞ ગણાતા ભગવાનનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાના શિષ્યો સાથે સમવસરણમાં જવાનું નક્કી કર્યું. ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિને નામથી બોલાવી પૂછ્યા વગર આત્મા વિષેની તેમની શંકાઓનું સમાધાન કર્યું. તેથી ઇન્દ્રભૂતિએ પોતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. આ સાંભળીને યજ્ઞ પાસેના બાકીના દસ વિદ્ધવાનો સમવસરણમાં આવ્યા અને તેમની શંકાઓનું સમાધાન થયા પછી ૪૪૦૦ શિષ્યો સાથે દીક્ષા સ્વીકારી. આ રીતે ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને મુક્તિ માર્ગનો ઉપદેશ આપ્યો. ૧૧ બ્રાહ્મણો તેમના મુખ્ય શિષ્યો બન્યા જે ગણધર તરીકે ઓળખવામાં આવ્યા. F.1.3.8.2 ભગવાન મહાવીરની પાવપુરીમાં અંતિમ દેશના અને મોક્ષ એક તીર્થંકર તરીકેના તેમના જીવનના ત્રીસ વર્ષ દરમ્યાન ભગવાન મહાવીરે લાખો લોકોને અહિંસાનો ઉપદેશ આપ્યો અને હજારો લોકોને દીક્ષા આપી. ૫૨૭ બી.સી માં ૭૨ વર્ષની ઉંમરે તેમનું અંતિમ ચોમાસું પાળવા પાવપુરી આવ્યા. આસો માસમાં ખોરાક અને પાણી લીધા વિના બે દિવસના ઉપવાસ કર્યા. સુવર્ણ કમળ પર કમળ મુદ્રામાં બેસી ચતુર્વિધ સંઘ સમક્ષ પોતાનો છેલ્લો અને સૌથી લાંબો ઉપદેશ આપ્યો જે ૪૮ કલાક ચાલ્યો. (આ ઉપદેશ પછીથી જૈન શાસ્ત્રમાં સંકલિત કરાયો હતો અને તેને ઉત્તરાધ્યાન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે.) અમાસની વહેલી સવારે, ભગવાન મહાવીરના બાકી રહેલા ચાર અઘાતિ કર્મોનો ક્ષય થયો આ રીતે આઠે કર્મોનો ક્ષય કરીને ભગવાન મહાવીરનો આત્મા લોકના શિખર પર પહોંચ્યો અને સિદ્ધોના કાયમી નિવાસસ્થાન સિદ્ધશીલા પર ગયા. આ રીતે ભગવાન મહાવીર મુક્તિને પામ્યા. F.1.3.8.3 સ્વર્ગીય દેવો અને માનવો દ્વારા અંતિમ સંસ્કાર ભગવાન મહાવીરના નિર્વાણ સમયે વિવિધ રાજ્યોના ૧૮ શાસકો હાજર હતા. ભગવાનનો જ્ઞાન દિપક જ્યારે વિશ્વમાંથી બુજાયો ત્યારે તેઓએ માટીના અસંખ્ય દીપકો પ્રગટાવ્યા. આ રીતે દિવાળીના પર્વની શરૂઆત થઈ. ભગવાન મહાવીરના પાંચમા કલ્યાણકની જાણ પછી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ઉજવણી કરવા પૃથ્વી પર આવ્યા. તેમણે ભગવાનના શરીરને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો, કીમતી વસ્ત્રોથી સજ્જ કર્યા, તાજ અને અન્ય આભૂષણોથી શણગાર્યા. તેમને પાલખીમાં લઈ જવામાં આવ્યા. લાખો લોકો શોભા યાત્રામાં જોડાયા. વાજિંત્રો Page 158 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy