SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) જ્યારે ગોવાળ પાછો ફર્યો ત્યારે તેણે તેના બળદો ત્યા ન દેખાયા તેથી તેણે ભગવાન મહાવીરને બળદો વિષે પૂછ્યું પરંતુ ભગવાન ધ્યાનમાં લીન હોવાથી કોઈ જવાબ ગોવાળને મળ્યો નહીં. ગોવાળ ગુસ્સે થઈ ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકયા. ભગવાન મહાવીરે આ દર્દ ધૈર્યથી સહન કર્યું. ત્યાંથી ભગવાન મહાવીર પાવા ગયા. ભિક્ષા માટે તેઓએ સિદ્ધાર્થ નામના સમૃદ્ધ વેપારીના ઘરમાં પ્રવેશ કર્યો. તે વેપારી ખારક નામના ચિકિત્સક સાથે બેઠો હતો. ભગવાન મહાવીરના ચહેરાની અભિવ્યક્તિથી તેઓ તીવ્ર પીડામાં છે એવું ચિકિત્સક સમજી ગયા. ખૂબ જ મુશ્કેલીથી મહાવીરને તેનો ઈલાજ કરાવવા સમજાવ્યા. તેમને તેલથી ભરેલા ટબમાં બેસાડી મસાજ કરવામાં આવ્યો અને ત્યારબાદ ઔષધીય કાંટા વડે ખીલા કાઢી નાખવામાં આવ્યા. દુ:ખાવો એટલો તીવ્ર હતો કે ભગવાન મહાવીરથી પણ વેદનાની ચીસ નીકળી ગઈ. પછી ચિકિત્સકે પાટાપિંડી કરી, ત્યારે પણ ભગવાન શાંત ચિતે ધ્યાનમાં રહ્યા. છેલ્લી યાતનાની સંપૂર્ણ વાર્તા પછીના વાર્તા વિભાગમાં વિસ્તારથી જોઈશું. F.1.3.8 કેવળ જ્ઞાન અને નિર્વાણ મહાવીર સ્વામીએ સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી અને ઊંડા ધ્યાનમાં રહ્યા. આ સમય દરમિયાન તેમણે જંગલો, નિર્જન સ્થળોએ નિવાસ કર્યો. એક દિવસથી લઈને છ મહિનાના ઉપવાસ કર્યા. બધા અવરોધોનો અને કષ્ટોનો ધૈર્ય અને હિંમતપૂર્વક સહન કરી તેઓ ધ્યાનના ઉચ્ચતમ તબક્કે પહોંચ્યા. તેઓ જમ્ભીકા ગામે પહોંચી ત્યાંની ઋજુવાલીકા નદીના કાંઠે રોકાયા. તે સમયે તેમને બે દિવસના ઉપવાસ હતા. બાકી રહેલા કર્મોનો ક્ષય કરવા તેઓ ગોદુલીકા આસનમાં બેઠા હતા. વૈશાખ સુદ દશમના દિવસે ઉચ્ચતમ ધ્યાનસ્થ અવસ્થામાં સર્વ ઘાતિ કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાનને કેવળજ્ઞાન થયું તે સમયે ઈન્દ્ર અને બીજા સ્વર્ગીય દેવોનું સિંહાસન ચલાયમાન થયું. ભગવાનના ચોથા કલ્યાણકનો પવિત્ર પ્રસંગ ઉજવવા બધા દેવો ભેગા થયા. તેમણે ભગવાન મહાવીરના પ્રથમ ઉપદેશ માટે સમવસરણનું નિર્માણ કર્યું. ભગવાન મહાવીરે પ્રથમ ઉપદેશ રાત્રે આપ્યો જ્યારે ફક્ત દેવો જ હાજર હતા. પછી ભગવાને પાવપૂરીની યાત્રા કરી અને મહાસેન નામના બગીચામાં રોકાયા. અહી અશોક વૃક્ષની નીચે બેસી ભગવાન મહાવીરે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. F.1.3.8.1 અગિયાર જ્ઞાની બ્રાહ્મણો બન્યા ગણધર અનેક અતિશય અથવા ગુણોથી સંપન્ન ભગવાન મહાવીરે દેવતાઓ, મનુષ્યો અને પ્રાણીઓની સભામાં આત્મલક્ષી અને હ્રદયસ્પર્શી ઉપદેશ આપ્યા. તે સમયે નગરના અન્ય ભાગમાં એક મહાન બલિદાન યજ્ઞ ચાલતો હોવા છતાં વિશાળ ટોળા યજ્ઞની વિપરીત દિશામા સમવસરણ તરફ જતાં Page 157 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy