________________
Compodium of Jainism – Part (II)
ભવો દરમિયાન ભારે ગુસ્સો અને તીવ્ર રાગને લીધે તે ખૂબજ પીડા અને અધોગતિ સહન કરી રહ્યો હતો. તે પસ્તાવાની લાગણી અનુભવી રહ્યો હતો. તેમણે આખી જિંદગી કોઇની તરફ ન જોવાનું અને ખાવા-પીવાના ત્યાગનું વચન લીધું. તેમણે છેલ્લા ત્રણ જન્મો દરમિયાન કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા અને ભવિષ્યના સુધાર માટે સ્થિર થવાનો નિર્ણય કર્યો.
ચંડકૌશિકે શાંતિપૂર્વક પોતાનું માથું બિલની અંદર અને શરીરનો એક ભાગ બિલની બહાર રાખ્યો. થોડા સમય પછી જ્યારે લોકોએ સાંભળ્યું કે ચંડકૌશિક હવે કોઈ માટે હાનિકારક નથી ત્યારે તેઓ જિજ્ઞાસાથી એને જોવા બહાર આવ્યા. તેઓએ તેને શાંતિથી પડેલા જોયા અને કેટલાક લોકો દૂધ અને ભોજન આપી તેની ઉપાસના કરવા લાગ્યા જ્યારે બીજા લોકો ગુસ્સે હતા કારણકે તેમના કુટુંબીઓને તેણે માર્યા હતા. તે બધાએ તેના પર પત્થર ફેંકી અને લાકડાની લાકડીઓ વડે માર માર્યો. તેના લોહી, દૂધ અને ખોરકના કારણે ત્યાં કિડીઓ આકર્ષાઈ પરંતુ ચંડકૌશિકે ક્રોધિત થયા વિના શાંતિપૂર્વક સ્વેછાએ કિડીઓનો ડંખ અને માર સહન કર્યો. થોડા દિવસ પછી તેમનું મૃત્યુ થયું. આત્મ સંયમ અને ભાવનાઓના નિયંત્રણથી (રાગ-દ્વેષ રહિત પણું) તેમના ઘણા પાપ કર્મોનો નાશ થયો. તેથી જીવનના અંત બાદ તેમનો જન્મ સ્વર્ગમાં થયો.
F.1.3.6 ચંદનબાળા
-
દીક્ષા પછીના બારમાં વર્ષ દરમિયાન ભગવાન મહાવીર લાંબી તપસ્યા પછી કૌશંબી શહેરમાં પ્રવેશ્યા. મનમાં નક્કી કરેલો અભિગ્રહ પૂરો થાય પછી જ ભિક્ષા સ્વીકારવી એવું તેમણે નક્કી કર્યું હતું. એ અભિગ્રહ હતો – પ્રવેશદ્વાર પર એક પગ અંદર અને એક પગ બહાર હોય એવી વ્યક્તિ દ્વારા ટોપલીના ખુણામાંથી આપવામાં આવેલા અડદના બાલુડા વહોરશે સ્વીકારશે તેમજ તે વ્યક્તિ રાજકુમારી હોવી જોઈએ, જેના હાથ અને પગ સાંકળેથી બાંધેલા હોય, તેણે અઠ્ઠમ તપ (ત્રણ દિવસના ઉપવાસ)ની આરાધના હોય અને આંખોમાંથી અશ્રુ વહેતા હોય. પાંચ મહિના અને ૨૫ દિવસ વીતી ગયા પરંતુ એમનો અભિગ્રહ પૂરો થતો ન હતો. એક દિવસ તેઓ ચંદનબાળા પાસે આવ્યા. જે એક ધાર્મિક વેપારીને ત્યાં ગુલામ તરીકે વેચાએલ રાજકુમારી હતી. તે વેપારીની ઈર્ષાળુ પત્ની દ્વારા તેનું મુંડન કરવામાં આવ્યું હતું. તેણે ભગવાન મહાવીરના બધા અભિગ્રહણશરતો) પૂરા કર્યા તેથી ભગવાને ભિક્ષાનો સ્વીકાર કર્યો. ચંદનબાળાની સંપૂર્ણ વાર્તા પછીના વાર્તા વિભાગમાં વિસ્તારથી જોઈશું.
F.1.3.7 છેલ્લી યાતના : કાનમાં ખીલા
ચિંતનના તેરમાં વર્ષ દરમિયાન ચર્મીની ગામની સીમમાં ભગવાન મહાવીર ગૂઢ ધ્યાનમાં લીન ઊભા હતા. એક ગોવાળ તેમની પાસે ગયો અને બળદોની સંભાળ રાખવાનું કહીને ત્યાંથી જતો રહ્યો. પરંતુ ભગવાન મહાવીર તો ધ્યાનસ્થ હોવાથી ભગવાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં.
Page 156 of 307