________________
Compodium of Jainism – Part (II)
F.1.3.૪ શૂલપાણી દ્વારા કષ્ટ
વિચરતા વિચરતા ભગવાન મહાવીર જ્યારે અસ્થિકાગ્રામ નામના ગામમાં આવ્યા ત્યારે તેઓ શૂલપાણી નામના યક્ષના મંદિરમાં રાત્રિ પસાર કરવા માંગતા હતા. ગામવાળાઓએ તેમને ચેતવણી આપી કે દુષ્ટ યક્ષ રાત્રિ પસાર કરવાવાળા કોઈપણ મુસાફીરને મોતને ઘાટ ઉતારશે. પરંતુ મહાવીરે જરા પણ ડગ્યા વગર ત્યાં જ રાત્રિ પસાર કરવાનો આગ્રહ કર્યો. તેમની શક્તિઓ માટે આ એક પડકાર છે એમ માની યક્ષ બહુ જ ક્રોધિત થયા. તેણે ભૂત, હાથી, સાપ અને સિંહના વિવિધ સ્વરૂપો ધારણ કરીને ભગવાન મહાવીરને ડરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો. ત્યારબાદ તેણે ભગવાનની આંખો, કાન, નાક, માથા, નખ અને પીઠને વીંધવા લાગ્યો પરતું આ આત્યાંતિક વેદના પણ ભગવાનના મનની શાંતિને વિંધવામાં નિષ્ફળ રહી.
આ નિષ્ફળતાથી શૂલપાણી પોતાની રાક્ષસી શક્તિથી હતાશ થયો અને એક દિવ્ય આધ્યાત્મિક પ્રકાશથી પ્રકાશિત થયો. ધીરે ધીરે તેનો ગુસ્સો ઓછો થયો, ભય ઓગળી ગયો અને સદ્ ભાવનની લાગણી છવાઈ ગઈ. તેણે મહાવીરના પગે પડી નમ્રતાથી તેમની માફી માંગી.
F.1.3.પ ચંડકૌશિક
અસ્થિકાગ્રામ છોડીને મહાવીર વચાલા શહેરની દિશામાં આગળ વધ્યા. આ શહેરનો માર્ગ એક ગાઢ, નિર્જન વનમાંથી પસાર થતો હતો. જ્યારે કેટલાક ભરવાડોએ મહાવીરને જંગલમાં પ્રવેશતા જોયા ત્યારે તેમણે મહાવીરને તે માર્ગમાં રહેતા કાળા નાગ વિષે ચેતાવણી આપી. આ સાપના ફૂંફાડા અને ત્રાટક શક્તિ છોડ અને વૃક્ષને બાળી નાખતા અને ઉડતા પક્ષીઓ અને સ્થાયી મનુષ્યોનું મૃત્યુ કરતા એમ મનાતું હતું. પોતાના અવધિ જ્ઞાનથી ભગવાન પરિસ્થિતિને જાણતા હતા. પોતાના સાર્વત્રિક પ્રેમથી નાગને પ્રકાશિત કરવા (જ્ઞાન આપવા) ભગવાન જંગલમાં પ્રવેશી નાગ જ્યાં રહેતો હતો તે સ્થાનની નજીક સ્થિર હલનચલન વિના ધ્યાન મુદ્રામાં ઊભા રહ્યા. અભિમાની નાગ ફૂંફાડો મારતો ભગવાન મહાવીરની સામે જોતાં પોતાના બિલમાંથી બહાર નીકળ્યો. પરંતુ ભગવાન મહાવીર સ્થિર, અચલ ઊભા રહ્યા. આનાથી ક્રોધિત થયેલા ચંડકૌશિક નાગે ભગવાન મહાવીર તરફ ત્રણ વખત ઝેર ફેલાવ્યું. આ ઝેરની ન તો ભગવાન મહાવીર પર કંઈ અસર થઈ કે ન તેમના ધ્યાનમાં ખલેલ પહોચી શકી. ક્રોધમાં અંધ નાગે પોતાની ફેણ વડે સઘળું ઝેર ભગવાન મહાવીરના પગમાં ઓકયું. પરંતુ લોહીના બદલે ભગવાનના પગમાંથી દૂધ (દૂધ જેવો સફેદ પદાર્થ) ની ધાર વહેવા લાગી. ભગવાન મહાવીરે કરુણા સભર નમ્ર નજર નાગ ઉપર નાખી. તેમણે ચંડકૌશિકને ક્રોધ પર કાબૂ રાખવા અને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પ્રકાશિત(જ્ઞાન આપવા) કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે નાગ મહાવીર ભગવાનની અનિમેષ દ્રષ્ટિને મળ્યા ત્યારે તેમણે પોતાના અંતરમાં સુખ શાંતિની લહેર અનુભવી. નાગે ચિંતન કરવાનું શરૂ કર્યું અને તેમને જાતિ સ્મરણ જ્ઞાન (ભૂતકાળના ભવનું) જ્ઞાન થયું અને સમજાયું કે તેના પાછલા બે
Page 155 of 307